નાણા મંત્રાલય

રૂપિયા 2.5 લાખથી 5 લાખ સુધીની આવક ઉપર આવકવેરાનો દર 10 ટકાથી ઘટાડી 5 ટકા

રૂપિયા 5 લાખથી વધુ આવકવેરો ચૂકવતા તમામ કરદાતાઓને થનારો રૂપિયા 12500નો લાભ
રૂપિયા 50 લાખથી 1 કરોડની વાર્ષિક આવક પર 10 ટકા સરચાર્જ
રૂપિયા 3 લાખ ઉપરના કોઈ વ્યવહારો રોકડમાં નહીં થઈ શકે
રૂપિયા 50 કરોડ સુધીની વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટેનો કરવેરાનો દર ઘટાડીને 25 ટકા કરવામાં આવશે

Posted On: 01 FEB 2017 5:54PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 01-2-2017

 
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં 2017-18નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરતાં જણાવ્યું હતું કે આપણો દેશ મહદ્ અંશે કરવેરા ન ભરનારા લોકોનો દેશ છે અને કરચોરી કરતા લોકોનો બોજો પ્રામાણિક કરદાતાઓ પર પડે છે. દેશમાં માત્ર 1.72 લાખ લોકોએ એમની આવક રૂપિયા 50 લાખથી વધારે હોવાનું દર્શાવ્યું છે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે દેશમાં 1.5 કરોડ લોકો એમની આવક રૂપિયા 2.5 થી 5 લાખ હોવાનું જણાવે છે. 52 લાખ લોકોએ તેમની આવક રૂપિયા 5 થી 10 લાખ અને 24 લાખ લોકોએ તેમની આવક રૂપિયા 10 લાખ ઉપરાંતની હોવાનું જણાવ્યું છે.
નાણાં મંત્રીએ વાર્ષિક રૂપિયા 2.5 લાખથી 5 લાખ સુધીની આવક ધરાવતા લોકો ઉપર આવક વેરાનો હાલનો દર જે 10 ટકા છે એ ઘટાડીને 5 ટકા કરવાની દરખાસ્ત કરી છે. રૂપિયા 5 લાખ ઉપરાંતનો કરવેરો ચૂકવતાં તમામ લોકોને કરવેરામાં રૂપિયા 12500નો લાભ મળશે. જેમની વાર્ષિક આવક રૂપિયા 50 લાખથી 1 કરોડ છે તેમના પર 10 ટકાનો સરચાર્જ નાંખવામાં આવ્યો છે. આવકવેરાના રીટર્ન સુધારવા માટેનો સમય ઘટાડીને 12 માસનો કરવામાં આવ્યો છે. રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓ માટે માત્ર એકજ પાનાનું આવકવેરા રીટર્નનું ફોર્મ દાખલ કરવામાં આવશે. સ્થાવર મિલ્કતો ઉપર લાંબાગાળાનો કેપીટલ ગેઈન્સ ટેક્સ જે હાલમાં 3 વર્ષ પછી લાગુ પડે છે એ હવે 2 વર્ષ પછી લાગુ પડશે. હવે પછી રૂપિયા 3 લાખ ઉપરના કોઈ વ્યવહારો રોકડમાં નહીં થઈ શકે. રૂપિયા 50 કરોડ સુધીની વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટેનો કરવેરાનો દર ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે. જેનો હેતુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસોના ક્ષેત્રોને મજબૂત કરવાનો છે.
 
AP/J.Khunt/GP                       ક્રમાંકઃ 73

(Release ID: 1481541)