નાણા મંત્રાલય

સામાન્ય અંદાજપત્ર ઉડતી નજરે

Posted On: 01 FEB 2017 5:55PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 01-2-2017

 
ખાધ અને ખર્ચ
·         વિત્તીય ખાધ જીડીપીના 3.2 ટકા ઉપર નિયંત્રિત કરવામાં આવી.
·         મહેસૂલી ખાધનો લક્ષ્યાંક જીડીપીના 1.9 ટકા.
·         2017-18 માટેનો કુલ ખર્ચ રૂપિયા 21,47,000 કરોડ.
·         કરવેરાની ચોખ્ખી આવકમાં 2015-16માં 17 ટકાનો વધારો
·         રાજ્યો તથા વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોને સાધનોની કુલ ટ્રાન્સફરમાં રૂપિયા 4.11 લાખ કરોડનો વધારો.
·         2017-18ના વર્ષથી ખર્ચનું યોજનાકીય અને બિનયોજનાકીય એ પ્રકારનું વર્ગીકરણ દૂર કરવામાં આવ્યું છે કે જેથી સમગ્ર સાચું ચિત્ર પુરું પાડી શકાય.
આંતરમાળખું
·         આંતરમાળખા માટે 2017-18માં કુલ રૂપિયા 3,96,135 કરોડની વિક્રમ ફાળવણી
·         રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટેની ફાળવણી વધારીને રૂપિયા 57,676 કરોડ કરવામાં આવી.
·         દરિયાકાંઠાના રસ્તાને ખાસ કરીને બંદરો અને ગામડાં સાથે જોડવા માટે રૂપિયા 2,000 કરોડની ફાળવણી
·         પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ખર્ચાનારા રૂપિયા 27,000 કરોડ.
રેલવે
·         રેલવે 4 મુખ્ય બાબતો પર એનું ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં, 1. પ્રવાસીઓની સલામતી 2. કેપિટલ અને વિકાસ કાર્યો. 3. સ્વચ્છતા અને 4. નાણાકીય અને હિસાબી સુધારાનો સમાવેશ થાય છે.
·         રેલવેની 2017-18ની યોજનાનું કદ રૂપિયા 1,31,00 કરોડ જેટલું સીમિત કરવામાં આવ્યું.
·         2016-17માં 2,800 કિલોમીટર લંબાઈની રેલવે લાઈન શરૂ કરવામાં આવી હતી. એની સામે 2017-18માં 3,500 કિલોમીટરની રેલવે લાઈન શરૂ કરવામાં આવશે.
·         રેલવેના પ્રવાસીઓની સલામતી માટે આગામી પાંચ વર્ષ દરમિયાન ઉપયોગ માટે રૂપિયા 1 લાખ કરોડની  ફાળવણી કરવામાં આવી છે.
·         દેશમાં 500 રેલવે સ્ટેશનોએ લિફ્ટ અને એસ્કેલેટર ગોઠવી શારીરિક રીતે અશક્ત લોકો માટે સુવિધાપૂર્ણ બનાવવામાં આવશે.
·         રેલવેના ડબ્બા અંગેની ફરિયાદોના નિવારણ માટે કોચ મિત્ર સગવડ ઉભી કરવાની સરકારની દરખાસ્ત.
·         આગામી થોડા વર્ષોમાં દેશના આશરે 7,000 રેલવે સ્ટેશનોને સૂર્યશક્તિ આધારિત વિજળી પૂરી પાડવામાં આવશે.
·         આઈઆરસીટીસી મારફત બુક કરાવવામાં આવેલી ઈ-ટીકીટો ઉપરનો સર્વિસ ચાર્જ પાછો ખેંચવામાં આવશે.
·         રેલવે ટેરીફ – ભાડા, પડતર ખર્ચ, સામાજિક જવાબદારી અને સ્પર્ધાના ધોરણે નક્કી કરવામાં આવશે.
·         રાજ્ય દ્વારા સંચાલિત કંપનીઓ જેવી કે ઈરકોન અને આઈઆરસીટીસીનું બજારોમાં લિસ્ટીંગ કરવામાં આવશે.
સંરક્ષણ
·         સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂપિયા 2.74 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કૃષિ ક્ષેત્ર
·         ગ્રામિણ, કૃષિ વિષયક અને આનુષંગિક ક્ષેત્રો માટે 2017-18માં કુલ રૂપિયા 1,87,223 કરોડની વિક્રમ ફાળવણી કરવામાં આવી છે, જે 24 ટકાનો વધારો સૂચવે છે.
·         મનરેગા માટેની ફાળવણી રૂપિયા 38,500 કરોડથી વધારી રૂપિયા 48,000 કરોડ કરવામાં આવી છે.
·         શેરડી અંગે અગાઉની બાકી રકમની ચૂકવણી માટે અગાઉ કરતાં રૂપિયા 9,000 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે.
·         સરકાર આગામી 3 વર્ષ દરમિયાન રૂપિયા 8,000 કરોડનું ડેરી પ્રોસેસીંગ ફંડ ઉભું કરશે જેનું આરંભિક ભંડોળ રૂપિયા 2,000 કરોડનું હશે.
·         કરાર દ્વારા ખેતી અંગે આધુનિક વિધેયક ઘડવામાં આવશે અને રાજ્યોને પણ મોકલવામાં આવશે.
·         નાબાર્ડ દ્વારા પાણીના પ્રત્યેક ટીપાદીઠ વધુ પાક લેવાનું એનું મિશન સિદ્ધ કરવા માટે માઈક્રો સિંચાઈને સમર્પિત ફંડ ઉભું કરવામાં આવશે.
·         ફસલ વીમા યોજના હેઠળ 2017-18માં વાવેતર હેઠળના 30 ટકા વિસ્તાર આવરી લેવામાં આવશે અને આવતા વર્ષે એનું પ્રમાણ વધારીને 50 ટકા કરવામાં આવશે.
આવાસ
·         બેઘર લોકો માટે 2019 સુધીમાં 1 કરોડ આવાસો બાંધવામાં આવશે.
·         પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ફાળવણી રૂપિયા 15,000 કરોડથી વધારી રૂપિયા 23,000 કરોડ કરવામાં આવી છે.
વ્યાપાર ધંધા
·         વ્યાપાર આંતરમાળખા નિકાસની યોજના 2017-18માં શરૂ કરવામાં આવશે.
·         એલએનજી ઉપરની બેઝિક ક્સ્ટમ્સ ડ્યૂટી જે 5 ટકા છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવશે.
વ્યાપાર કરવા માટેની સુવિધા
·         વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ વિખેરી નાંખવામાં આવશે. સીધા વિદેશી મૂડીરોકાણનો 90 ટકા હિસ્સો ઓટોમેટિક રૂટ મારફત આવે છે.
ડિજીટલ ઈન્ડિયા
·         આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમનું વ્યાપારી સ્વરૂપ આધાર-પે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન ન ધરાવતા લોકોને સહાયક બનશે.
·         ભારત નેટ પ્રોજેક્ટ માટે રૂપિયા 10,000 કરોડની ફાળવણી, જેનો ઉદ્દેશ 2017-18માં હાઈસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા પૂરી પાડવાનો છે.
·         2017-18ના નાણાકીય વર્ષના અંતે ઓપ્ટિક ફાઈબર ઉપર આધારિત હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી દેશની 1.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાપ્ય બનશે.
·         ડિજીટલ ટેકનોલોજી મારફત ટેલી મેડીસીન, શિક્ષણ અને કૌશલ્ય પૂરા પાડવા, ડીજી-ગાંવ પહેલનો આરંભ કરવામાં આવશે.
કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ
·         દેશના યુવાનોને કૌશલ્યની તાલીમ પુરી પાડવા 600 જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
·         જીવન ગુજારા પ્રોત્સાહન કાર્યક્રમ માટે રૂપિયા 4,000 કરોડના ખર્ચે ‘સંકલ્પ’નો આરંભ કરવામાં આવશે.
·         દેશના 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાં મહિલા શક્તિ કેન્દ્રો ગામડાની સપાટીએ ઉભા કરવામાં આવશે, જેને માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
·         પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ધિરાણનો લક્ષ્યાંક 2017-18 માટે બેવડાવીને રૂપિયા 2.44 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
રાજકીય ફંડીંગ
·         કોઈપણ રાજકીય પક્ષ કોઈપણ સાધનમાંથી વધુમાં વધુ રૂપિયા 2,000નું દાન રોકડમાં મેળવી શકશે.
·         રાજકીય પક્ષો દાતાઓ પાસેથી ચેક અથવા ડિજીટલ સ્વરૂપમાં દાન સ્વીકારવા હક્કદાર ગણાશે.
·         ઈલેક્ટોરલ બોન્ડ્સ માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાયદા માટે સુધારો કરવાનું વિચારાયું છે.
પ્રવાસન
·         દેશમાં પ્રવાસનના પાંચ ખાસ ઝોનની રચના કરવામાં આવશે. અતુલ્ય ભારતની બીજી ઝુંબેશ વિશ્વભરમાં શરૂ કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ
·         ઉચ્ચત્તર શિક્ષણની તમામ વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કસોટી એજન્સી – નેશનલ ટેસ્ટીંગ એજન્સીની કરાયેલી સ્થાપના.
·         માધ્યમિક શિક્ષણ માટે સંશોધન અને શોધખોળનું ફંડ ઉભું કરવામાં આવશે.
·         ગુજરાત અને ઝારખંડમાં 2 નવી એઈમ્સની થનારી સ્થાપના.
·         વિદ્યાર્થીઓમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગેનું જ્ઞાન અને શિક્ષણ વધારવા માટે ‘સ્વયમ’ પ્લેટફોર્મની રચના કરવામાં આવશે. ‘સ્વયમ’ પ્લેટફોર્મને દેશભરમાં વિસ્તારવા શિક્ષણને સમર્પિત ડીટીએચ ચેનલો સાથે એનું જોડાણ કરવામાં આવશે.
કલ્યાણ
·         વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ ઉપર આધારિત આરોગ્ય કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.
·         મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટેની ફાળવણી જે 2016-17માં રૂપિયા 1,56,528 કરોડ હતી એ 2017-18માં વધારીને 1,84,632 કરોડ કરવામાં આવી છે.
 
AP/J.Khunt/GP                       ક્રમાંકઃ 74

(Release ID: 1481542)