નાણા મંત્રાલય
સામાન્ય અંદાજપત્ર ઉડતી નજરે
Posted On:
01 FEB 2017 5:55PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-2-2017
ખાધ અને ખર્ચ
· વિત્તીય ખાધ જીડીપીના 3.2 ટકા ઉપર નિયંત્રિત કરવામાં આવી.
· મહેસૂલી ખાધનો લક્ષ્યાંક જીડીપીના 1.9 ટકા.
· 2017-18 માટેનો કુલ ખર્ચ રૂપિયા 21,47,000 કરોડ.
· કરવેરાની ચોખ્ખી આવકમાં 2015-16માં 17 ટકાનો વધારો
· રાજ્યો તથા વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોને સાધનોની કુલ ટ્રાન્સફરમાં રૂપિયા 4.11 લાખ કરોડનો વધારો.
· 2017-18ના વર્ષથી ખર્ચનું યોજનાકીય અને બિનયોજનાકીય એ પ્રકારનું વર્ગીકરણ દૂર કરવામાં આવ્યું છે કે જેથી સમગ્ર સાચું ચિત્ર પુરું પાડી શકાય.
આંતરમાળખું
· આંતરમાળખા માટે 2017-18માં કુલ રૂપિયા 3,96,135 કરોડની વિક્રમ ફાળવણી
· રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટેની ફાળવણી વધારીને રૂપિયા 57,676 કરોડ કરવામાં આવી.
· દરિયાકાંઠાના રસ્તાને ખાસ કરીને બંદરો અને ગામડાં સાથે જોડવા માટે રૂપિયા 2,000 કરોડની ફાળવણી
· પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ખર્ચાનારા રૂપિયા 27,000 કરોડ.
રેલવે
· રેલવે 4 મુખ્ય બાબતો પર એનું ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં, 1. પ્રવાસીઓની સલામતી 2. કેપિટલ અને વિકાસ કાર્યો. 3. સ્વચ્છતા અને 4. નાણાકીય અને હિસાબી સુધારાનો સમાવેશ થાય છે.
· રેલવેની 2017-18ની યોજનાનું કદ રૂપિયા 1,31,00 કરોડ જેટલું સીમિત કરવામાં આવ્યું.
· 2016-17માં 2,800 કિલોમીટર લંબાઈની રેલવે લાઈન શરૂ કરવામાં આવી હતી. એની સામે 2017-18માં 3,500 કિલોમીટરની રેલવે લાઈન શરૂ કરવામાં આવશે.
· રેલવેના પ્રવાસીઓની સલામતી માટે આગામી પાંચ વર્ષ દરમિયાન ઉપયોગ માટે રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
· દેશમાં 500 રેલવે સ્ટેશનોએ લિફ્ટ અને એસ્કેલેટર ગોઠવી શારીરિક રીતે અશક્ત લોકો માટે સુવિધાપૂર્ણ બનાવવામાં આવશે.
· રેલવેના ડબ્બા અંગેની ફરિયાદોના નિવારણ માટે કોચ મિત્ર સગવડ ઉભી કરવાની સરકારની દરખાસ્ત.
· આગામી થોડા વર્ષોમાં દેશના આશરે 7,000 રેલવે સ્ટેશનોને સૂર્યશક્તિ આધારિત વિજળી પૂરી પાડવામાં આવશે.
· આઈઆરસીટીસી મારફત બુક કરાવવામાં આવેલી ઈ-ટીકીટો ઉપરનો સર્વિસ ચાર્જ પાછો ખેંચવામાં આવશે.
· રેલવે ટેરીફ – ભાડા, પડતર ખર્ચ, સામાજિક જવાબદારી અને સ્પર્ધાના ધોરણે નક્કી કરવામાં આવશે.
· રાજ્ય દ્વારા સંચાલિત કંપનીઓ જેવી કે ઈરકોન અને આઈઆરસીટીસીનું બજારોમાં લિસ્ટીંગ કરવામાં આવશે.
સંરક્ષણ
· સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂપિયા 2.74 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કૃષિ ક્ષેત્ર
· ગ્રામિણ, કૃષિ વિષયક અને આનુષંગિક ક્ષેત્રો માટે 2017-18માં કુલ રૂપિયા 1,87,223 કરોડની વિક્રમ ફાળવણી કરવામાં આવી છે, જે 24 ટકાનો વધારો સૂચવે છે.
· મનરેગા માટેની ફાળવણી રૂપિયા 38,500 કરોડથી વધારી રૂપિયા 48,000 કરોડ કરવામાં આવી છે.
· શેરડી અંગે અગાઉની બાકી રકમની ચૂકવણી માટે અગાઉ કરતાં રૂપિયા 9,000 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે.
· સરકાર આગામી 3 વર્ષ દરમિયાન રૂપિયા 8,000 કરોડનું ડેરી પ્રોસેસીંગ ફંડ ઉભું કરશે જેનું આરંભિક ભંડોળ રૂપિયા 2,000 કરોડનું હશે.
· કરાર દ્વારા ખેતી અંગે આધુનિક વિધેયક ઘડવામાં આવશે અને રાજ્યોને પણ મોકલવામાં આવશે.
· નાબાર્ડ દ્વારા પાણીના પ્રત્યેક ટીપાદીઠ વધુ પાક લેવાનું એનું મિશન સિદ્ધ કરવા માટે માઈક્રો સિંચાઈને સમર્પિત ફંડ ઉભું કરવામાં આવશે.
· ફસલ વીમા યોજના હેઠળ 2017-18માં વાવેતર હેઠળના 30 ટકા વિસ્તાર આવરી લેવામાં આવશે અને આવતા વર્ષે એનું પ્રમાણ વધારીને 50 ટકા કરવામાં આવશે.
આવાસ
· બેઘર લોકો માટે 2019 સુધીમાં 1 કરોડ આવાસો બાંધવામાં આવશે.
· પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ફાળવણી રૂપિયા 15,000 કરોડથી વધારી રૂપિયા 23,000 કરોડ કરવામાં આવી છે.
વ્યાપાર ધંધા
· વ્યાપાર આંતરમાળખા નિકાસની યોજના 2017-18માં શરૂ કરવામાં આવશે.
· એલએનજી ઉપરની બેઝિક ક્સ્ટમ્સ ડ્યૂટી જે 5 ટકા છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવશે.
વ્યાપાર કરવા માટેની સુવિધા
· વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ વિખેરી નાંખવામાં આવશે. સીધા વિદેશી મૂડીરોકાણનો 90 ટકા હિસ્સો ઓટોમેટિક રૂટ મારફત આવે છે.
ડિજીટલ ઈન્ડિયા
· આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમનું વ્યાપારી સ્વરૂપ આધાર-પે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન ન ધરાવતા લોકોને સહાયક બનશે.
· ભારત નેટ પ્રોજેક્ટ માટે રૂપિયા 10,000 કરોડની ફાળવણી, જેનો ઉદ્દેશ 2017-18માં હાઈસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા પૂરી પાડવાનો છે.
· 2017-18ના નાણાકીય વર્ષના અંતે ઓપ્ટિક ફાઈબર ઉપર આધારિત હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી દેશની 1.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાપ્ય બનશે.
· ડિજીટલ ટેકનોલોજી મારફત ટેલી મેડીસીન, શિક્ષણ અને કૌશલ્ય પૂરા પાડવા, ડીજી-ગાંવ પહેલનો આરંભ કરવામાં આવશે.
કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ
· દેશના યુવાનોને કૌશલ્યની તાલીમ પુરી પાડવા 600 જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
· જીવન ગુજારા પ્રોત્સાહન કાર્યક્રમ માટે રૂપિયા 4,000 કરોડના ખર્ચે ‘સંકલ્પ’નો આરંભ કરવામાં આવશે.
· દેશના 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાં મહિલા શક્તિ કેન્દ્રો ગામડાની સપાટીએ ઉભા કરવામાં આવશે, જેને માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
· પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ધિરાણનો લક્ષ્યાંક 2017-18 માટે બેવડાવીને રૂપિયા 2.44 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
રાજકીય ફંડીંગ
· કોઈપણ રાજકીય પક્ષ કોઈપણ સાધનમાંથી વધુમાં વધુ રૂપિયા 2,000નું દાન રોકડમાં મેળવી શકશે.
· રાજકીય પક્ષો દાતાઓ પાસેથી ચેક અથવા ડિજીટલ સ્વરૂપમાં દાન સ્વીકારવા હક્કદાર ગણાશે.
· ઈલેક્ટોરલ બોન્ડ્સ માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાયદા માટે સુધારો કરવાનું વિચારાયું છે.
પ્રવાસન
· દેશમાં પ્રવાસનના પાંચ ખાસ ઝોનની રચના કરવામાં આવશે. અતુલ્ય ભારતની બીજી ઝુંબેશ વિશ્વભરમાં શરૂ કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ
· ઉચ્ચત્તર શિક્ષણની તમામ વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કસોટી એજન્સી – નેશનલ ટેસ્ટીંગ એજન્સીની કરાયેલી સ્થાપના.
· માધ્યમિક શિક્ષણ માટે સંશોધન અને શોધખોળનું ફંડ ઉભું કરવામાં આવશે.
· ગુજરાત અને ઝારખંડમાં 2 નવી એઈમ્સની થનારી સ્થાપના.
· વિદ્યાર્થીઓમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગેનું જ્ઞાન અને શિક્ષણ વધારવા માટે ‘સ્વયમ’ પ્લેટફોર્મની રચના કરવામાં આવશે. ‘સ્વયમ’ પ્લેટફોર્મને દેશભરમાં વિસ્તારવા શિક્ષણને સમર્પિત ડીટીએચ ચેનલો સાથે એનું જોડાણ કરવામાં આવશે.
કલ્યાણ
· વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ ઉપર આધારિત આરોગ્ય કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.
· મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટેની ફાળવણી જે 2016-17માં રૂપિયા 1,56,528 કરોડ હતી એ 2017-18માં વધારીને 1,84,632 કરોડ કરવામાં આવી છે.
AP/J.Khunt/GP ક્રમાંકઃ 74
(Release ID: 1481542)