માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રિય કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ બુધવારે અમદાવાદ ખાતે પત્રકારો સાથે સંવાદ કરશે
કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થવા પર મોદી સરકાર 2.0 ની ઉપલબ્ધિઓ વિષે પત્રકારોને માહિતગાર કરશે
પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા 100 દિવસની સિદ્ધિઓ દર્શાવતુ પ્રદર્શન આયોજિત કરાશે
Posted On:
09 SEP 2019 5:38PM by PIB Ahmedabad
અમદાવાદ, 09-09-2019
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત રચાયેલી એનડીએ સરકારે પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે ભારત ભરમાં કેન્દ્રિય મંત્રીઓ જુદા જુદા રાજ્યોમાં પત્રકાર સમ્મેલન યોજીને પ્રથમ 100 દિવસનું સરવૈયું જનતા સામે મૂકી રહ્યા છે. જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ 11 સપ્ટેબરના રોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે.
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા પત્રકાર પરિષદના સ્થળ પર જ કેન્દ્ર સરકારના 100 દિવસમાં થયેલા કાર્યો અને પહેલો દર્શાવતુ પ્રદર્શન પણ આયોજિત કરશે.
DK/J.Khunt/GP
(Release ID: 1584562)