ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ધોરડો (કચ્છ) ખાતે સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ-2020ના કાર્યક્રમમાં સંબોધન કર્યું
વિકાસોત્સવનો ઉદ્દેશ સરહદનાં ગામડાંમાં જે નાગરિકો વસે છે તેમને પણ એવી જ સુવિધાઓ આપવાનો છે જેવી શહેરોમાં મળે છે- શ્રી અમિત શાહ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો નિર્ણય છે કે સીમાંત વિકાસ ઉત્સવના માધ્યમથી સરહદોને વિકસિત કરવાનું કાર્ય કરવામાં આવે- કેન્દ્રીય ગૃહમંત્રી
શ્રી અમિત શાહે જણાવ્યું કે દેશની સરહદો, રાજ્યની સરહદો માતાના સાડીના પાલવ જેવી હોય છે, તેની રક્ષા કરવી તે દરેક નાગરિકનો પ્રાથમિક ધર્મ છે
આજે આપણાં સુરક્ષા દળોનો એક નાનો સરખો જવાન દુનિયાની એક મોટી તાકાત સામે આંખ મિલાવીને જવાબ આપવા માટે સક્ષમ છે- કેન્દ્રિય ગૃહમંત્રી
સરદાર પટેલના વિચારો વાંચીને જાણવા મળે છે કે તેમણે તે સમયે કહ્યું હતું કે સરહદ સુધી રોડ, પાણી અને વીજળી પહોંચાડવી જોઈએ અને સરહદ પરથી થતું સ્થળાંતર રોકવું જોઈએ- શ્રી અમિત શાહ
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની સાથે તમામ રાજ્ય સરકારો અને 135 કરોડ લોકો કોરોના વિરૂધ્ધ ઉભા થયા છે- કેન્દ્રિય ગૃહમંત્રી
શ્રી શાહે કહ્યું કે દિવાળીનો ઉત્સવ છે. ઉલ્લાસ, ઉમંગ અને આનંદ હોવો જોઈએ, પણ સાથે-સાથે સતર્કતા પણ એટલી જ જરૂરી છે
Posted On:
12 NOV 2020 7:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના ધોરડો (ક્ચ્છ) ખાતે આજે આયોજન કરવામાં આવેલા સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ – 2020 કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે સરહદી વિકાસ ઉત્સવનો ઉદ્દેશ એ છે કે સુશાસન અને વિકાસ સરહદી વિસ્તારો સુધી પહોંચે. સરહદ પર આવેલા ગામોમાં જે નાગરિકો વસવાટ કરે છે તેમને પણ એટલી જ સુવિધા પ્રાપ્ત થાય, જેટલી શહેરોમાં રહેતા નાગરિકોને મળતી હોય છે. તેની સાથે-સાથે અહીંના જન પ્રતિનિધિઓમાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના જાગૃત કરવી અને સુરક્ષાનો મુદ્દો તથા સૈન્યને લગતી મહત્વની સંવેદનશીલ બાબતો અંગે પરામર્શ કરવો તે સરહદ વિસ્તારના વિકાસોત્વનો ઉદ્દેશ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો નિર્ણય છે કે સરહદ વિકાસ ઉત્સવના માધ્યમથી સરહદોનો વિકાસ કરવાનું કામ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાતની સીમા સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો શુભારંભ થયા પછી પ્રધાનમંત્રી જાતે પણ વિકાસ કાર્યક્રમોમાં સામેલ થશે અને હું પણ આવનારા દિવસોમાં સરહદો પર જઈને ત્યાં રહેતા સૈનિકો કે જે સરહદોની સુરક્ષા કરે છે તેમની સાથે રહેવાનો છું. અને આ પરંપરા સતત ચાલુ રહેવાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દેશની સરહદો, રાજ્યની સરહદો માતાના પાલવ જેવી હોય છે અને તેની સુરક્ષા કરવી તે દરેક નાગરિકનો પ્રાથમિક ધર્મ છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે સરહદી ગામોના સરપંચ, ધારાસભ્યો, સાંસદો, આપણી સરહદના સજાગ ચોકીદાર છે. શ્રી શાહે કહ્યું હતું કે જ્યાં સુધી સ્થાનિક સામાજના લોકો અને જન પ્રતિનિધિઓના મનમાં સરહદી સુરક્ષા અંગે લાગણી ઉભી નહીં થાય ત્યાં સુધી સરહદી સુરક્ષા સુનિશ્ચિત નહીં થઈ શકે. જ્યાં સુધી સરહદ પર રહેનારા લોકો અને દરેક વ્યક્તિ જાગૃત નહીં હોય ત્યાં સુધી સરહદોને સુરક્ષિત નહીં કરી શકાય. શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશની આંતરિક સુરક્ષા મજબૂત નહીં હોય, ત્યાં સુધી દેશને આગળ ધપાવવાનું, દેશને વિકાસના માર્ગે લઈ જવાનું મુશ્કેલ બનશે. મોદી સરકારની એ પ્રાથમિકતા છે કે દેશની એક-એક ઈંચ જમીનની ચોક્કસપણે રક્ષા થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આજે આપણાં સંરક્ષણ દળનો એક નાનો સરખો જવાન પણ દુનિયાની એક મોટી શક્તિ સામે આંખમાં આંખ પરોવી જવાબ આપવા સક્ષમ છે. કાશ્મીરની સરહદ હોય કે પુલવામાનો હુમલો હોય, સરકારે યોગ્ય જવાબ આપ્યો છે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે સરહદોની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સરહદી ક્ષેત્રોમાંથી સ્થળાંતર ના થાય તે જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તે ગામના વિકાસનું પણ છે. સરહદની અંદરના ગામોમાં જેટલો વિકાસ થાય તેટલો સરહદે આવેલા ગામોનો વિકાસ થવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરદાર પટેલના વિચારો વાંચવાથી એવી જાણકારી મળે છે કે તેમણે એ વખતે કહ્યું હતું કે સરહદો સુધી માર્ગો, પાણી, વીજળી વગેરે પહોંચવા જોઈએ અને સરહદો પરથી થતું સ્થળાંતર રોકવું જોઈએ. કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી સરદાર સાહેબના તમામ વિચારોનો યોગ્ય અમલ કરવાની શરૂઆત થઈ ગઈ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર 6 વર્ષની અંદર સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી સારી રીતે નિભાવી છે. તમામ દળોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની તાલીમ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક ગરીબના ઘરમાં સરકાર દ્વારા વીજળી, બેંક એકાઉન્ટ અને શૌચાલય પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. દરેક માતાના રસોડા સુધી ગેસ પહોંચાડવાનું કામ પણ પૂરૂ થઈ ગયું છે અને દરેક ગરીબને રૂ.5 લાખ સુધીની તમામ આરોગ્ય સુવિધાઓનો ખર્ચ ઉપાડી લેવાનું કામ કરવામાં આવ્યું છે. આયુષમાન ભારત યોજના હેઠળ હવે તમામ નાગરિકોની સારવાર કરવામાં આવી રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર સાથે તમામ રાજ્ય સરકારો અને 135 કરોડ લોકો કોરોના વિરૂધ્ધ લડત આપી રહ્યા છે. શ્રી શાહે કહ્યું હતું કે દિવાળીનો તહેવાર છે, ઉલ્લાસ, ઉમંગ અને આનંદ હોવો જોઈએ, પણ સાથે-સાથે સતર્કતા પણ ખૂબ જ જરૂરી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું કે દેશના કેટલાક વક્રદ્રષ્ટિ ધરાવતા લોકો કે જેમને દરેક કામમાં ખામી શોધવાની ટેવ છે, પરંતુ જનતા ખૂબ જ સમજદાર છે. પરંતુ તેમને ખબર છે કે યોજનાઓની કામગીરી અગાઉ માત્ર ફાઈલો સુધી સીમિત રહેતી હતી, પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે. હમણાં જ થયેલી ચૂંટણીના પરિણામો જનતાના આ વિશ્વાસનું ઉદાહરણ પૂરૂં પાડે છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2014 સુધી સરહદોની સીમાઓ ઉપર આવેલા માર્ગોનું ડી-સરફેસીંગ કરવાની ઝડપ 170 કી.મી. હતી, જેને મોદી સરકારે 170 કીલોમીટરથી વધારીને 480 કીલોમીટર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વર્ષ 2008થી 2014ની વચ્ચે ફક્ત એક જ સુરંગ બની હતી. સુધી ભારત-ચીન સરહદે દર વર્ષે 230 કી.મી.ની સડક કટીંગ ફોર્મેટીંગનું કામ થતું હતું, વર્ષ 2014થી 2020ની વચ્ચે આપણે નવી 6 સુરંગો બનાવી શક્યા છે અને 19નું કામ ચાલુ કરી દીધુ છે. આ બાબત દર્શાવે છે કે કેન્દ્રની મોદી સરકાર સરહદ સુરક્ષા બાબતે કેટલી સજાગ છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2014ની વચ્ચે રૂ. 3300 કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું અને મોદી સરકારે માત્ર વર્ષ 2017-18નુ બજેટ રૂ. 5400 કરોડનું રાખ્યું હતું, જેને વર્ષ 2018-19માં વધારીને રૂ. 6700 કરોડ અને વર્ષ 2020-21માં રૂ. 11,800 કરોડ કરવાનું કામ કરવામાં આવ્યું છે.
આ અગાઉ કેન્દ્રિય ગૃહમંત્રીએ ત્રણ સરહદી જિલ્લાઓના સરપંચો સાથે વાર્તાલાપ કર્યો હતો. શ્રી અમિત શાહે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સીમા સુરક્ષા દળ અને ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારોના વિકાસ માટે કરવામા આવેલા કામ દર્શાવતા એક પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.
કાર્યક્રમમાં કેન્દ્રના કૃષિ મંત્રી તથા ખેડૂત કલ્યાણ, ગ્રામ વિકાસ, પંચાયતી રાજ, ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના મંત્રી મંડળના અનેક મંત્રીઓ, કેન્દ્રના ગૃહ સચિવ, બીએસએફના મહાનિદેશક, અને અસૂચના બ્યૂરોના નિદેશક અને ગુજરાત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
SD/GP/BT
(Release ID: 1672384)