માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દૂરદર્શન રિલે કેન્દ્ર મહેસાણા, મોડાસા અને થરાદથી તા. 31.10.2021ના રોજથી અને દૂરદર્શન રિલે કેન્દ્ર ડીસાથી પ્રસારણ તા. 31.03.2022ના રોજથી બંધ થશે

Posted On: 27 SEP 2021 2:56PM by PIB Ahmedabad

દૂરદર્શન મહાનિદેશાલય નવી દિલ્હીના આદેશ પ્રમાણે તા. 31.10.2021ના રોજથી દૂરદર્શન રિલે કેન્દ્ર મહેસાણા, મોડાસા અને થરાદથી પ્રસારણ બંધ થશે અને તા.31.03.2022ના રોજથી દૂરદર્શન રિલે કેન્દ્ર ડીસાથી દૂરદર્શનના કાર્યક્રમોનું પ્રસારણ બંધ થશે. આથી જાહેર જનતા/દર્શકોને જાણ કરવામાં આવે છે કે દૂરદર્શનના કાર્યક્રમ ડી.ટી.એચ. પ્લેટફોર્મ પર "ડી.ડી.ફ્રી ડીશ" દ્વારા પણ જોઈ શકાય છે. આ અંગેની વધુ માહિતી  www.prasarbharati.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


(Release ID: 1758546)
Read this release in: English