રેલવે મંત્રાલય
સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11 જાન્યુઆરી સુધીમાં રેલ ટ્રાફિકને અસર થશે
Posted On:
26 DEC 2021 9:26PM by PIB Ahmedabad
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં ડબલ ટ્રેકની કામગીરીને કારણે 11જાન્યુઆરી,2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. વિભાગીય રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સેક્શન માં સ્થિત વગડિયા યાર્ડમાં લાઇન ક્ષમતા વધારવા માટે રિમોડેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ રેલ ટ્રાફિકને અસર કરશે:
રદ થયેલી ટ્રેનો:
- ટ્રેન નં.૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.૨૭-૧૨-૨૦૨૧થી ૧૦-૦૧-૨૦૨૨ સુધી રદ કરવામાં આવી.
- ટ્રેન નં.૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૮-૧૨-૨૦૨૧થી ૧૧-૦૧-૨૦૨૨ સુધી રદ કરવામાં આવી.
- ટ્રેન નં.૨૨૯૩૭ રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ૦૨-૦૧-૨૦૨૨ થી ૦૯-૦૧-૨૦૨૨ સુધી રદ કરવામાં આવી.
- ટ્રેન નં.૨૨૯૩૮ રીવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૦૩-૦૧-૨૦૨૨થી ૧૦-૦૧-૨૦૨૨ સુધી રદ કરવામાં આવી.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
- ટ્રેન નં.૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.૨૭-૧૨-૨૦૨૧થી ૧૦-૦૧-૨૦૨૨ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નં.૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૭-૧૨-૨૦૨૧થી ૧૦-૦૧-૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નં.૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.૨૬-૧૨-૨૦૨૧થી ૦૯-૦૧-૨૦૨૨ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નં.૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.૨૭-૧૨-૨૦૨૧થી તા.૧૦-૦૧-૨૦૨૨ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રદ કરવામાં આવશે.
- ટ્રેન નં.૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ૨૭-૧૨-૨૦૨૧, ૩૦-૧૨-૨૦૨૧, ૦૧-૦૧-૨૦૨૨, ૦૩.૦૧.૨૦૨૨, ૦૬.૦૧.૨૦૨૨ અને ૦૮.૦૧.૨૦૨૨ના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી દોડશે. આમ અમદાવાદ-જામનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નં.૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ તા.૨૮-૧૨-૨૦૨૧, ૩૧-૧૨-૨૦૨૧, ૦૨-૦૧-૨૦૨૨, ૦૪-૦૧-૨૦૨૨, ૦૭-૦૧-૨૦૨૨ અને ૦૯-૦૧-૨૦૨૨ના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી દોડશે. આમ જામનગર-અમદાવાદ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
પરિવર્તિત માર્ગ પર દોડતી ટ્રેનો:
• ટ્રેન નં.૧૫૬૬૮ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા.૨૯-૧૨-૨૦૨૧ અને ૦૫-૦૧-૨૦૨૨ ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ વિરમગામ-વાંકાનેર-મોરબી-માળીયા મિયાણાની જ્ગ્યા વાયા વિરમગામ-ધાંગધ્રા-માળીયા મિયાના-ગાંધીધામના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.
• ટ્રેન નં.૧૫૬૬૭ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તા.૦૧-૦૧-૨૦૨૨ અને ૦૮-૦૧-૨૦૨૨ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ માળીયા મિયાણા-મોરબી-વાંકાનેર-મોરબીની જ્ગ્યા વાયા માળીયા મિયાણા-ધાંગધ્રા-વિરમગામ ના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.
માર્ગમાં લેટ થતી ટ્રેનો:
તારીખ ૦૧-૦૧-૨૦૨૨ અને ૦૨-૦૧-૨૦૨૨ના રોજ બ્લોકને કારણે ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી અને ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એક્સપ્રેસ રૂટ પર ૩૦ મિનિટઅને ૨૨૯૫૭ અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રૂટ ૨૦ મિનિટ મોડી ચાલશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન અંગેના નવીનતમ માહિતી તપાસવા માટે www.enquiry.indianrail.gov.in મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.
(Release ID: 1785384)