પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ
प्रविष्टि तिथि:
08 MAR 2022 9:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને યુક્રેનમાં સતત માનવતાવાદી પરિસ્થિતિ અંગે તેમની ચિંતાઓ શેર કરી. પ્રધાનમંત્રી મોદીએ દુશ્મનાવટ બંધ કરવા અને સંવાદ અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલને પુનરાવર્તિત કરી. પ્રધાનમંત્રી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત કર્યું અને વહેલા ઉકેલની આશા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી રૂટ્ટેને સંઘર્ષના વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પ્રગતિ અને અસરગ્રસ્ત વસ્તી માટે દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠાના સ્વરૂપમાં ભારતની સહાય વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ એપ્રિલ, 2021માં પ્રધાનમંત્રી રૂટ્ટે સાથેની તેમની વર્ચ્યુઅલ સમિટને યાદ કરી અને વહેલી તકે પ્રધાનમંત્રી રૂટ્ટેને ભારતમાં આવકારવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી.
(रिलीज़ आईडी: 1804164)
आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam