રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

19 મે 2022 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન હરિદ્વાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

Posted On: 15 MAY 2022 6:02PM by PIB Ahmedabad

ઉત્તર રેલવેના હરિદ્વાર-દહેરાદૂન સેક્શન પર હરિદ્વાર અને મોતીચુર સ્ટેશનો વચ્ચે ગર્ડર લોન્ચિંગના કારણે બ્લોક લેવાનો હોવાથી અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગત આ પ્રકાર છે:

·         તારીખ 19 મે 2022ની ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન હરિદ્વાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે.

·         તારીખ 20 મે 2022 ની ટ્રેન સંખ્યા 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન યોગનગરી ઋષિકેશની બદલે હરિદ્વાર સ્ટેશનથી પ્રસ્થાન કરશે. 

SD/GP/JD


(Release ID: 1825559) Visitor Counter : 133