કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
azadi ka amrit mahotsav

NASSCOM COE-IoT & AI, MeitY તથા ગુજરાત સરકારના સહયોગથી વિશ્વના પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટરનો અમદાવાદમા પ્રારંભ


આ માત્ર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કમ્પિટન્સી સેન્ટરનું લોન્ચિંગ નથી, તે MSMEને ડિજિટાઇઝ કરવા અને તેમને ટેક્નોલોજી સાથે સશક્ત બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છેઃ શ્રી રાજીવ ચંદ્રશેખર

ઉત્પાદકો ડાયનેમિક ડિજિટલ એરા માટે તૈયાર થઈ ઈન્ડસ્ટ્રી 4.0 માટે સજ્જ બનશે

વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર

ભારતના અર્થતંત્ર અને ખાસ કરીને ડિજિટલ અર્થતંત્રના ડિજિટાઇઝેશનને વેગ આપવાનું PM નરેન્દ્ર મોદીજીનું મિશન છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી

Posted On: 21 MAY 2022 4:42PM by PIB Ahmedabad

નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો  ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે કરવામાં આવ્યું હતું.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આ પ્રસંગે જણાવ્યું હતું કે “ઈન્ડસ્ટ્રી 4.0 જેવી ટેકનોલોજીકલ નવિનતા ભારતના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં કદમાં મોટો ફેરફાર લાવશે. આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરવા માટે MeitY સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ અને CoEs ટેકનોલોજીકલ ઈનોવેશન મારફતે ભારતના ઉત્પાદન વ્યવસ્થા તંત્રને વિશ્વમાં સ્પર્ધાત્મક બનાવવા માટે સજ્જ છે.

તેમણે કહ્યું કે આજે, આપણે ભારતની આઝાદીના 75 વર્ષ, પીએમ તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ અને વૈશ્વિક રોગચાળાના નજીકના અંતની ઉજવણી કરી રહ્યા છીએ. કોવિડ પછી, ભારત અને ભારતીય ઉદ્યોગસાહસિકોને વિશ્વભરમાં આદર સાથે જોવામાં આવે છે. ભારતના લોકો અને PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકાર આ રોગચાળા સામે સ્થિતિસ્થાપક પ્રતિસાદ આપવા માટે એકસાથે આવ્યા છે, જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ હજુ સંઘર્ષ કરી રહી છે ત્યારે ભારત હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે - જેમાં સૌથી વધુ એફડીઆઈ, ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ વગેરે પ્રાપ્ત કરવાના તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પુનઃકલ્પિત મહત્વાકાંક્ષાઓ સાથેનું નવું ભારત છે.

શ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ખાસ કરીને ભારતના અર્થતંત્ર અને ખાસ કરીને ડિજિટલ અર્થતંત્રના ડિજિટાઇઝેશનને વેગ આપવાનું PM નરેન્દ્ર મોદીજીનું મિશન છે. અમે નીતિઓ, નિયમો અને પ્રોત્સાહનો ઘડી રહ્યા છીએ જે સરકાર, સાહસો અને ઉપભોક્તાઓના ડિજિટાઇઝેશનને પ્રોત્સાહિત કરે છે. આ સંદર્ભમાં, તે રાષ્ટ્રના હિતમાં છે કે અમે MSMEs દ્વારા તેમની કાર્યક્ષમતા, નવીનતાની ક્ષમતાઓને સુધારવા અને બજારોના મોટા નેટવર્ક સાથે સારી રીતે જોડાવા માટે ડિજિટાઈઝેશન અને ડિજિટલ સ્વીકારને સક્ષમ કરીએ.

તેમણે 4 પરિબળો ઉલ્લેખ કર્યો હતો કે જે કોવિડ પછીની સ્થિતિમાં મહત્વપૂર્ણ છે, જેમકેઃ

1. સપ્લાય ચેઈન ટેકટોનિક ફેરફારોમાંથી પસાર થઈ રહી છે

2. વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છે.

3. ઉત્પાદનો અને સેવાઓનું ભાવિ નવીનતા સાથે ગતિ જાળવી રાખવાની ક્ષમતા દ્વારા સંચાલિત થાય છે

4. સ્ટાર્ટઅપ્સ નવીનતાનું પ્રતીક છે અને ન્યુ ઈન્ડિયાની ભાવના સર્જી શકે છે.

તેમણે કહ્યું હતું કે એસએમસી સેન્ટર એ એમએસએમઈના ડિજીટાઈઝેશનમાં એક મહત્વપૂર્ણ પ્રારંભિક બિંદુ છે. અમારો ધ્યેય માત્ર આ સેન્ટર ખોલવા અને SME પ્લેટફોર્મ શરૂ કરવા પૂરતો મર્યાદિત નથી પરંતુ ગુજરાતના દરેક MSMEને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે MSMEs માટે તેમના ડિજિટાઈઝેશનની સુવિધા માટે તે પણ વ્યાજબી ખર્ચે ઉપલબ્ધ સંસાધનો, પ્રોત્સાહનો, SaaS (સેવા તરીકે સોફ્ટવેર) વગેરે જેવા સાધનો ઉપલબ્ધ કરાવવાના સંદર્ભમાં ભારત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે નાસકોમના પ્રમુખ દેબજાની ઘોષ સહિત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 


(Release ID: 1827199)