પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 25મી ઓગસ્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય શ્રમ પરિષદને સંબોધન કરશે
આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
કોન્ફરન્સ શ્રમ મુદ્દાઓ અને કામદારોના કલ્યાણ સંબંધિત બાબતો પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ બનાવવામાં મદદ કરશે
Posted On:
23 AUG 2022 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25-26 ઓગસ્ટ, 2022ના રોજ તિરુપતિ, આંધ્રપ્રદેશ ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
કોન્ફરન્સ સહકારી સંઘવાદની ભાવનાથી વિવિધ મહત્વપૂર્ણ શ્રમ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી રહી છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારી નીતિઓ ઘડવા અને કામદારોના કલ્યાણ માટેની યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવામાં વધુ તાલમેલ બનાવવામાં મદદ કરશે.
કોન્ફરન્સમાં સામાજિક સુરક્ષાને સાર્વત્રિક બનાવવા માટે ઓન-બોર્ડિંગ સામાજિક સુરક્ષા યોજનાઓ માટે ઈ-શ્રમ પોર્ટલને એકીકૃત કરવા પર ચાર વિષયોનું સત્ર હશે; જેમાં રાજ્ય સરકારો દ્વારા સંચાલિત ESI હોસ્પિટલો દ્વારા તબીબી સંભાળમાં સુધારો કરવા અને PMJAY સાથે એકીકરણ માટે સ્વાસ્થ્ય સે સમૃદ્ધિ; ચાર શ્રમ સંહિતા હેઠળ નિયમો અને તેમના અમલીકરણ માટેની પદ્ધતિઓની રચના; વિઝન શ્રમેવ જયતે @ 2047, કામની ન્યાયી અને સમાન શરતો પર ધ્યાન કેન્દ્રીત કરીને, તમામ કામદારોને સામાજિક સુરક્ષા, ગીગ અને પ્લેટફોર્મ કામદારો સહિત, કામ પર લિંગ સમાનતા સહિતના અન્ય મુદ્દાઓ સામેલ હશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1854026)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam