પ્રધાનમંત્રીનું કાર્યાલય
વારાણસીને 2022ની SCO સમિટમાં સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
16 SEP 2022 11:07PM by PIB Ahmedabad
1. 16 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન વારાણસી શહેરને સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં ભાગ લીધો હતો.
2. સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વારાણસીનું નામાંકન ભારત અને SCO સભ્ય દેશો વચ્ચે પ્રવાસન, સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે. તે SCO ના સભ્ય દેશો, ખાસ કરીને મધ્ય એશિયાઈ પ્રજાસત્તાક સાથે ભારતના પ્રાચીન સભ્યતાના સંબંધોને પણ રેખાંકિત કરે છે.
3. આ મુખ્ય સાંસ્કૃતિક આઉટરીચ પ્રોગ્રામના માળખા હેઠળ, 2022-23 દરમિયાન વારાણસીમાં સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં SCO સભ્ય દેશોમાંથી મહેમાનોને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ ઈવેન્ટ્સ ઈન્ડોલોજિસ્ટ્સ, વિદ્વાનો, લેખકો, સંગીતકારો અને કલાકારો, ફોટો જર્નાલિસ્ટ્સ, ટ્રાવેલ બ્લોગર્સ અને અન્ય આમંત્રિત મહેમાનોને આકર્ષે તેવી અપેક્ષા છે.
4. SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાનીના નામાંકન માટેના નિયમો 2021માં દુશાન્બે SCO સમિટમાં સંસ્કૃતિ અને પ્રવાસનના ક્ષેત્રમાં SCO સભ્ય દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અપનાવવામાં આવ્યા હતા.
સમરકંદ
16 સપ્ટેમ્બર, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1860026)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam