પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બેંગલુરુમાં શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું
Posted On:
11 NOV 2022 2:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રી શ્રીએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પવિત્ર જળ અર્પણ કર્યું. તેમણે એક છોડનું વાવેતર પણ કર્યું હતું.
બેંગલુરુના વિકાસમાં શહેરના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાના યોગદાનની યાદમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેમ રામ વી સુતારની સંકલ્પના અને તેમના દ્વારા બનાવવામાં આવેલ આ પ્રતિમા માટે 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“બેંગલુરુના નિર્માણમાં શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની ભૂમિકા અપ્રતિમ છે. તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે યાદ કરવામાં આવે છે જેમણે હંમેશા લોકોના કલ્યાણને દરેક વસ્તુથી ઉપર રાખ્યું હતું. બેંગલુરુમાં ‘સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી’નું ઉદ્ઘાટન કરવા બદલ સન્માનિત.”
પ્રધાનમંત્રીની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ, કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોત અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી સહિત અન્ય લોકો પણ હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1875195)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam