પ્રધાનમંત્રીનું કાર્યાલય
એક્ઝામ વોરિયર્સ બુકલેટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તમામ પ્રકારના તણાવથી મુક્ત રાખવાનો છેઃ પ્રધાનમંત્રી
Posted On:
25 FEB 2023 9:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એક્ઝામ વોરિયર્સ બુકલેટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તમામ પ્રકારના તણાવથી મુક્ત રાખવાનો છે. શ્રી મોદી કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા કરાયેલી ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા. જેમાં મંત્રીએ માહિતી આપી હતી કે ઝારખંડના કોડરમા ખાતેની એક શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા વોરિયર્સની પુસ્તિકા વાંચીને પરીક્ષા સંબંધિત તણાવમાંથી મુક્તિ અનુભવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ખૂબ સારું! વિદ્યાર્થીઓએ પરીક્ષાને લગતા તમામ પ્રકારના તણાવથી મુક્ત થવું જોઈએ, તે પરીક્ષા વોરિયર્સનો ઉદ્દેશ્ય છે...”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1902209)
Read this release in:
Hindi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam