રેલવે મંત્રાલય
વડોદરા મંડળના 10 કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા
प्रविष्टि तिथि:
08 JUN 2023 4:26PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જિતેન્દ્ર સિંઘે મંડળના દસ રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલ્વે કર્મચારીઓને એપ્રિલ અને મે 2023ના મહિના દરમિયાન ફરજ પર હતા ત્યારે તેમની તકેદારી અને સાવચેતીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં યોગદાન બદલ "મેન ઓફ ધ મંથ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
વડોદરા મંડળના વરિષ્ઠ સુરક્ષા અધિકારી શ્રી રાજકુમાર અંબીગરે જણાવ્યું હતું કે શ્રી સોહિલ ઈસ્માઈલ ભેરીવાલા, (TLC/પ્રતાપનગર), શ્રી અમિત કુમાર મિશ્રા, (લોકો પાયલટ (ગુડ્સ ટ્રેન) (ગોધરા), શ્રી એસ. કે. કનોજીયા, (સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ, ઉત્તરસંડા), શ્રી એમ.એસ. રશિયા, (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, મકરપુરા), શ્રી કમલેશ વસંત, (પોઈન્ટ્સમેન, કનીઝ), શ્રી રાજેન્દ્ર ગુર્જર, (સ્ટેશન માસ્ટર, સમની), શ્રી ભૂપિન એમ. વસાવા, (સિનિયર ટેકનિશિયન, કે એન્ડ વે, વડોદરા પી), શ્રી વિક્રમ પી. બારિયા, (ફિટર ગ્રા. III, કેએન્ડ વે, પ્રતાપનગર), શ્રી હિંમત સિંઘ, (વરિષ્ઠ ટેકનિશિયન, કે એન્ડ ડબલ્યુ, વડોદરા પી.) અને શ્રી રાકેશ મીના, (ટ્રેક જાળવણીકાર-IV, ગોથાણગાંવ)નું સન્માન કરવામાં આવ્યું હતું. મેરીટ સર્ટિફિકેટ અને મેડલ આપ્યા હતા. તમામ આદરણીય કર્મચારીઓએ રેલ્વે સુરક્ષામાં ખામી શોધીને તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી પોતાને બચાવ્યા છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી જિતેન્દ્ર સિંહે આ જાગૃત રેલ્વે સુરક્ષા રક્ષકોને પ્રોત્સાહિત કર્યા. શ્રી સિંહે કહ્યું કે મુસાફરોની સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવેકર્મીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનના કામમાં મદદ કરે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1930772)
आगंतुक पटल : 161