પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
Posted On:
27 JUN 2023 10:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.
પ્રધાનમંત્રીએ રાણી કમલાપતિ - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસના પ્રથમ કોચનું નિરીક્ષણ કર્યું. તેમણે ટ્રેનમાં સવાર બાળકો અને ક્રૂ સાથે પણ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
"આજે ભોપાલમાં એકસાથે પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ દર્શાવે છે કે અમારી સરકાર સમગ્ર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના ઝડપી વિકાસ માટે કેટલી પ્રતિબદ્ધ છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1935844)
Visitor Counter : 192
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam