પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી


ગોરખપુર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ

प्रविष्टि तिथि: 07 JUL 2023 8:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બે વંદે ભારત ટ્રેનો છે ગોરખપુર - લખનૌ વંદે ભારત એક્સપ્રેસ અને જોધપુર - અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ. વડા પ્રધાને લગભગ રૂ. 498 કરોડના ખર્ચે ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો અને સૂચિત ગોરખપુર રેલ્વે સ્ટેશનના મોડેલનું નિરીક્ષણ કર્યું.

પ્રધાનમંત્રીની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ગોરખપુરના સંસદસભ્ય શ્રી રવિ કિશન પણ હતા.

પૃષ્ઠભૂમિ

ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ અયોધ્યામાંથી પસાર થશે અને રાજ્યના મહત્વના શહેરો સાથે કનેક્ટિવિટી સુધારશે અને પ્રવાસનને વેગ આપશે. જોધપુર – સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપતાં જોધપુર, આબુ રોડ અને અમદાવાદ જેવા પ્રસિદ્ધ સ્થળો સાથે કનેક્ટિવિટી વધારશે.

આશરે રૂ. 498 કરોડના ખર્ચે ગોરખપુર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટેનો શિલાન્યાસ મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1938046) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam