માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ગ્લોબલ વિથ લોકલ નો સમાવેશ નવી શિક્ષણ માં કરવામાં આવ્યો છે : રૂપકિશોર ચૌધરી, પ્રધાન આચાર્ય, કેન્દ્રિય વિદ્યાલય પાટણ
શિક્ષણ ની સાથે કળા, ગાર્ડનિંગ, કમ્પોસ્ટિંગ, બ્યુટીફિકેશન જેવા જીવન નિર્વાહ માટેના રચનાત્મક કાર્યો સાથે ડિજિટલ નોલેજ પણ નવી શિક્ષણ નીતિનો હિસ્સો છે : મીરા વ્યાસ, પ્રધાન આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, લણવા
ત્રણ વર્ષ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પાટણ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
નવી શિક્ષણનીતિ 2020 ને ત્રણ વર્ષ પૂરા થવાના પ્રસંગે માનનીય પ્રધાન શ્રી શનિવારે શિક્ષા સંગમ ના માધ્યમ થી દેશ ને સંબોધવાના છે ત્યારે આજ રોજ કેન્દ્રિય વિદ્યાલય, પાટણ ખાતે નવીશિક્ષણ નીતિ ની સંપૂર્ણ જાણકારી માટે પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
28 JUL 2023 3:01PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિદ્યાલય પાટણ ના આચાર્ય શ્રી રૂપકિશોર ચૌધરી તથા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રીમતિ મીરા વ્યાસ એ નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી આ ઉપરાંત પત્રકાર મિત્રો ના સવાલો ની સામે વક્તાઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રંસંગે આચાર્ય શ્રીઓ તેમજ નિષ્ણાત વક્તાઓ એ વધુમાં મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવી વિધાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને છેલ્લા ૩ વર્ષમા આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાના વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે. 10 દિવસ માટે "બેગલેશ ડે" એટલે કે ભાર વિનાના ભણતર ના વિચાર ને પણ સાર્થક કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યું છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.
હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે. તેમ પ્રેસ મીડિયાના મિત્રોને જાણકારી આપી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તેમજ કેન્દ્રિય વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પત્રકાર વાર્તા માં સી.બી.સી તેમજ પી.આઇ.બી ના ઉત્તર ગુજરાત ના પબ્લીસિટી ઓફિસર શ્રી જે.ડી ચૌધરી એ નવી શિક્ષણ નીતિ ની જાણકારી આપતા કાર્યકમ નું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે પાટણ ના પત્રકાર બંધુઓ તેમજ કેન્દ્રિય વિદ્યાલયનો સ્ટાફ કેન્દ્રીય વિદ્યાલય તેમજ જવાહર નવોદય વિદ્યાલયનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
CB/JDC/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1943645)
आगंतुक पटल : 195