ભૂતળ પરિવહન મંત્રાલય
રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થીના ખાતામાં સીધા જમા કરવા અંગે વર્કશોપ
પોસ્ટેડ ઓન:
19 AUG 2023 12:23PM by PIB Ahmedabad

એન.એચ.એ.આઈ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર (ગુજરાત) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થી ના ખાતામાં સીધા જમા કરવા અંગે એક વર્કશોપનું 18.08.2023 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અજય જૈન, નાયબ સચિવ, માર્ગ પરિવહન મંત્રાલય, NH એક્ટ 1956 દ્વારા LA પ્રક્રિયાની ઝાંખી પર વર્કશોપ શ્રી બી. પી. ખરે, સલાહકાર, જમીન સંપાદન, માર્ગ પરિવહન મંત્રાલય અને પ્રેઝન્ટેશન શ્રી વિવેક તિવારીએ, ટેકનિકલ નિષ્ણાત અને શ્રી એન. એન. ગિરી, ચીફ જનરલ મેનેજર, પ્રાદેશિક કચેરી,એન.એચ.એ.આઈ,ગુજરાતદ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, હેડક્વાર્ટર, નવી દિલ્હીના અધિકારીઓએ PPT દ્વારા સહભાગી સક્ષમ અધિકારી, જમીન સંપાદન અને તેમના કાર્યાલયના કર્મચારીઓને ભૂમિરાશી પોર્ટલ પર કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપી હતી. અને તેમના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા.
ભૂમિ રાશી પોર્ટલ દ્વારા, સંબંધિત લાભાર્થીને તેમના ખાતામાં સીધા ઓનલાઈન પેમેન્ટથી મળશે, જે જમીનના લાભાર્થી માટે વધુ અનુકૂળ અને ઉપયોગી સાબિત થશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1950360)
મુલાકાતી સંખ્યા : 229