પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી
એન્જીનિયર્સને એન્જીનીયર ડે પર પણ શુભેચ્છા પાઠવી હતી
प्रविष्टि तिथि:
15 SEP 2023 9:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી છે.
શ્રી મોદીએ આ અવસર પર તમામ મહેનતુ એન્જિનિયરોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સર એમ વિશ્વેશ્વરાય પેઢીઓને નવીનતા લાવવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે. પીએમ એ ચિક્કાબલ્લાપુરાની ઝલક પણ શેર કરી, જ્યાં તેમણે આ વર્ષની શરૂઆતમાં તેમની મુલાકાત દરમિયાન સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી હતી.
X પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“#EngineersDay પર અમે સ્વપ્નદ્રષ્ટા એન્જિનિયર અને રાજનેતા સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ નવીનતા લાવવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. અહીં ચિક્કાબલ્લાપુરાની ઝલક છે, જ્યાં મેં આ વર્ષની શરૂઆતમાં મારી મુલાકાત દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
“#EngineersDay પર તમામ મહેનતુ એન્જિનિયરોને શુભેચ્છાઓ! તેમનું નવીન મન અને અથાક સમર્પણ આપણા દેશની પ્રગતિની કરોડરજ્જુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અજાયબીઓથી લઈને ટેકની પ્રગતિ સુધી, તેમનું યોગદાન આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1957551)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam