ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતમાં સંસદીય રમત સ્પર્ધા અંતર્ગત 'ખેલો ગાંધીનગર' અને 'ગાંધીનગર સંસદ જન-મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું


એક મહિનાથી વધુ સમય સુધી ચાલનારી આ રમત સ્પર્ધામાં લગભગ 1.75 લાખ ખેલાડીઓ 39 રમતોમાં ભાગ લેશે

રમત-ગમત માત્ર આપણા શરીરને મજબૂત બનાવે છે, પરંતુ જીતનો જુસ્સો જીત અને હારમાંથી આવે છે

શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે દેશના રમતગમતના નકશા પર રાજ્યને આગવું સ્થાન અપાવવા માટે અનેક પગલાં લીધા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા જેવી ઘણી પહેલ કરી છે, જેના પરિણામે ભારત 2048માં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ ક્રમમાં ટોચ પર રહેશે

મોદીજી દેશની રાજનીતિને શુદ્ધ કરી રહ્યા છે અને રમતગમતને મજબૂત કરી રહ્યા છે

પ્રધાનમંત્રી મોદીએ મજબૂત ભારત બનાવવા માટે દેશના યુવાનોને ધ્યાનમાં રાખીને ખેલો ઈન્ડિયા અભિયાનની કલ્પના કરી હતી

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં છે અને વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અહીં બનાવવામાં આવી રહ્યું છે

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીજીએ રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી અને તેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ વિશ્વભરમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબ કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે આ જન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે

प्रविष्टि तिथि: 24 DEC 2023 9:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતમાં સંસદીય રમત સ્પર્ધા અંતર્ગત 'ખેલો ગાંધીનગર' અને 'ગાંધીનગર સંસદ જન મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z8J9.jpg

આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજથી ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાત વિધાનસભા મતવિસ્તારોમાં જન મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ જન મહોત્સવમાં ઘણા ભાગો છે, જેમાં સૌ પ્રથમ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ખેલો ગાંધીનગર કાર્યક્રમ દ્વારા 1,50,000 થી વધુ બાળકો અને યુવાનો રમશે. આ સાથે સમગ્ર ગાંધીનગર વિસ્તારમાં ગાંધીનગર લોકસભા સાંસ્કૃતિક મહોત્સવમાં અંદાજે 15,000 કલાકારો ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, સંગીતના સાધનો વગેરે સહિતની અનેક કલાઓની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને ગાંધીનગરના સાંસ્કૃતિક વિકાસને આગળ વધારશે. તેમણે કહ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે, જેમાં આ 1,50,000 ઉપરાંત 40 હજારથી વધુ યુવાનો ક્રિકેટમાં ભાગ લેશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના લોકો સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ જવા માટે આ જન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002H2N8.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે દેશના રમતગમતના નકશા પર રાજ્યને આગવું સ્થાન અપાવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખેલો ઈન્ડિયા જેવી ઘણી પહેલ કરી છે, જેના પરિણામે ભારત 2048માં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ ક્રમમાં ટોચ પર રહેશે. શ્રી શાહે જણાવ્યું હતું કે આ જન્મોત્સવ અંતર્ગત યોજાનાર રમતોત્સવ માટે 1,50,000 થી વધુ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે કહ્યું કે એક મહિનાથી વધુ સમય સુધી ચાલનારી આ રમત સ્પર્ધામાં લગભગ 1.75 લાખ ખેલાડીઓ 39 રમતોમાં ભાગ લેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002H2N8.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ મજબૂત ભારત બનાવવા માટે દેશના યુવાનોને ધ્યાનમાં રાખીને ખેલો ઈન્ડિયા અભિયાનની કલ્પના કરી હતી. તેમણે કહ્યું કે રમત ગમત માત્ર આપણા શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં, જીત અને હારમાંથી જીતવાનો જુસ્સો પણ આવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દેશની રાજનીતિને શુદ્ધ કરી રહ્યા છે અને રમતગમતને મજબૂત કરી રહ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 2002માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતનું રમતગમતનું બજેટ 2.5 કરોડ રૂપિયા હતું જે આજે શ્રી ભૂપેન્દ્ર પટેલજીએ વધારીને 293 કરોડ રૂપિયા કરી દીધું છે. તેમણે કહ્યું કે વર્ષ 2006માં શક્તિદૂત યોજના શરૂ કરવામાં આવી હતી, શ્રેષ્ઠતાના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી, જિલ્લા કક્ષાની રમતગમત શાળા યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતમાં 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ગુજરાતમાં માત્ર ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, જ્યારે આજે રાજ્યના 22 જિલ્લામાં સંપૂર્ણ સુવિધાયુક્ત રમતગમત સંકુલ બનાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ ગુજરાતમાં છે અને વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અહીં બનાવવામાં આવી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003T6BQ.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી હતી અને તેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ વિશ્વભરમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 2019ની નેશનલ ગેમ્સમાં 51 ગોલ્ડ મેડલ સહિત કુલ 310 મેડલ જીતીને ગુજરાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ગુજરાતના ખેલાડીઓએ 2022માં નેશનલ ગેમ્સમાં 49 અને 2023માં 39 મેડલ જીત્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલાં લીધા છે, જેના પરિણામે ભારતીય ખેલાડીઓ ભવિષ્યની રમત સ્પર્ધાઓમાં ચોક્કસપણે દેશ માટે મેડલ જીતશે.

શ્રી અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય રમતગમતમાં ભારત માટે મેડલ જીતવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ હંમેશા દેશભરમાં તમામ રમત અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે કહ્યું કે માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 1 લાખ 75 હજાર બાળકો, કિશોરો અને યુવાનોની નોંધણી એ સુનિશ્ચિત કરે છે કે પ્રધાનમંત્રી મોદીની કલ્પનાના મહાન ભારતને 2047માં વાસ્તવિકતા બનતા કોઈ રોકી શકશે નહીં.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1990162) आगंतुक पटल : 188