ગૃહ મંત્રાલય
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રઈસી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી મહામહિમ હોસેન અમીર-અબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન
આદરના ચિહ્ન તરીકે 21 મે, 2024 (મંગળવાર)ના રોજ એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો
प्रविष्टि तिथि:
20 MAY 2024 5:27PM by PIB Ahmedabad
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રઈસી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી મહામહિમ હોસેન અમીર-અબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. દિવંગત આત્માઓના આદરના ચિહ્ન તરીકે, ભારત સરકારે 21 મે, 2024 (મંગળવાર)ના રોજ સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
શોકના દિવસે, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2021126)
आगंतुक पटल : 219