સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી જીતનરામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના કામગીરીની સમીક્ષા કરી

प्रविष्टि तिथि: 29 JUN 2024 1:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય એમએસએમઇ મંત્રી શ્રી જીતનરામ માંઝી અને એમએસએમઇ રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈસી)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ક્ષેત્રના વિકાસ માટે સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના પ્રદર્શનની સમીક્ષા કરી. આ પ્રસંગે એમએસએમઇ મંત્રાલય અને KVICના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રીએ KVI સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ખાદી કારીગરોને ટેકો આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રયત્નોને વધુ ઊંડું અને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2029471) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Tamil , Telugu , Kannada