પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળના વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપવા માટે કેરળના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
Posted On:
30 JUL 2024 10:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરી છે અને ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અને હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. હાલમાં તમામ અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્યમંત્રી શ્રી @pinarayivijayan સાથે વાત કરી અને ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
"પ્રધાનમંત્રીએ વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2038849)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam