પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં માર્ગ દુર્ઘટનામાં થયેલી જાનમાલની હાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
Posted On:
23 AUG 2024 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના તનહુન જિલ્લામાં એક માર્ગ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું કે ભારતીય એમ્બેસી અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડશે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“નેપાળના તનહુન જિલ્લામાં માર્ગ દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. ભારતીય દૂતાવાસ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2048425)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam