શ્રમ અને રોજગાર મંત્રાલય
સરકાર ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર સક્રિયપણે વિવિધ માર્ગો શોધી રહી છે - ડો. મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
01 SEP 2024 1:06PM by PIB Ahmedabad
ભારત સરકાર ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષાનો લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે, એમ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતાં જાહેરાત કરી હતી.
ગિગ અને પ્લેટફોર્મ કામદારોના કલ્યાણની સુરક્ષા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ડો. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ કામદારોને સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ માર્ગોની સક્રિય પણે શોધ કરી રહી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, "અમારી સરકાર ગિગ અને પ્લેટફોર્મ કામદારોની સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જેઓ અમારા કાર્યબળનો નિર્ણાયક ભાગ છે."
તેમણે વધુમાં કહ્યું કે, અમે તેમને લાયક સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે વિસ્તૃત વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ.

ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન
સામાજિક સુરક્ષાનાં પગલાંના અમલીકરણને સરળ બનાવવા માટે ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે કામદારોની નોંધણી ઇ-શ્રમ પોર્ટલ પર હાથ ધરવામાં આવશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એગ્રિગેટર્સ - જે કંપનીઓ ગિગ અને પ્લેટફોર્મ કામદારોને રોજગારી આપે છે - તેમને આ પોર્ટલ પર તેમના કામદારોની નોંધણી કરવામાં આગેવાની લેવાનું કહેવામાં આવશે. ડો.માંડવિયાએ જાહેરાત કરી હતી કે, "સરળ અને કાર્યક્ષમ નોંધણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે એગ્રિગેટર્સ માટે ઓનલાઇન વિન્ડો ઉપલબ્ધ કરાવવામાં આવશે."
સામાજિક સુરક્ષા પરના કોડ હેઠળ પ્રથમ વખતની માન્યતા
કેન્દ્રીય મંત્રીએ સામાજિક સુરક્ષા પરની આચારસંહિતાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જે સૌપ્રથમ વખત ભારતમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને વ્યાખ્યાયિત કરે છે. તેમણે કહ્યું હતું કે, "આપણા અર્થતંત્રમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારોની ભૂમિકાઓને સ્વીકારવા અને ઔપચારિક બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે."
સર્વસમાવેશક વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા
ડો. માંડવિયાએ સર્વસમાવેશક વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત કાર્યબળના તમામ વર્ગોના સશક્તિકરણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમે એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ કે ભારતમાં દરેક કામદારને, પછી ભલેને તે રોજગારનો દરજ્જો ગમે તે હોય, તેને સામાજિક સલામતીનો અધિકાર આપવામાં આવે."
શ્રમ અને રોજગાર મંત્રાલય એક મજબૂત માળખું વિકસાવવા તમામ હિતધારકો સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યું છે, જે કાર્યની વિકસતિ પ્રકૃતિ સાથે સુસંગત છે તથા ગિગ અને પ્લેટફોર્મ કામદારોને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2050592)
आगंतुक पटल : 184