પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
30 SEP 2024 11:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. અભિનેતાની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે લખ્યું:
“મને આનંદ છે કે શ્રી મિથુન ચક્રવર્તી જીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જે તેમના બહુમુખી પ્રદર્શન માટે પેઢીઓથી વખણાય છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2060202)
Visitor Counter : 143
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam