પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી
Posted On:
04 OCT 2024 10:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં રોકાયેલી છે”
શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:
“પ્રધાનમંત્રીએ યુપીના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2061865)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam