પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત

પોસ્ટેડ ઓન: 24 OCT 2024 7:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પ્રધાનમંત્રી @narendramodi”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2067570) મુલાકાતી સંખ્યા : 130