ભારતના લોકપાલ
ભારતના લોકપાલે કાનૂની સંવાદદાતાઓની માન્યતા માટેના ધારાધોરણો હેઠળ અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ લંબાવી
प्रविष्टि तिथि:
25 OCT 2024 4:07PM by PIB Ahmedabad
ભારતના લોકપાલે 18 ઓક્ટોબર 2024ના પરિપત્ર દ્વારા, ભારતના લોકપાલ માટે કાનૂની સંવાદદાતાઓની માન્યતા માટેના ધોરણો હેઠળ અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 8 નવેમ્બર 2024 સુધી લંબાવી છે.
ભારતના લોકપાલે ભારતના લોકપાલમાં કાનૂની સંવાદદાતાઓની માન્યતા માટેના ધોરણો ઘડ્યા છે અને તેને 25 સપ્ટેમ્બર 2024 ના પરિપત્ર દ્વારા ભારતના લોકપાલની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે.
તેની સાથે જ 25 સપ્ટેમ્બર 2024ના પરિપત્ર દ્વારા, ભારતના લોકપાલમાં કાનૂની સંવાદદાતાઓ તરીકે માન્યતા મેળવવા માટે નિયત પ્રોફોર્મામાં રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા પત્રકારો/સંવાદદાતાઓ પાસેથી 30 દિવસની અંદર અરજીઓ મંગાવવામાં આવી હતી.
2. ઉપરોક્ત સ્થિતિ નિયત તારીખ સુધીમાં અરજીઓ સબમિટ કરવા માટે તમામ સંબંધિત લોકોના ધ્યાનમાં લાવવામાં આવી શકે છે.
(પરિશિષ્ટ-I) (લિન્ક: https://lokpal.gov.in/pdfs/NormsLegalCorrespondents.pdf)
(પરિશિષ્ટ-II) (લિન્ક: https://lokpal.gov.in/pdfs/applicationsLegalCorrespondents.pdf)
(પરિશિષ્ટ-III) (લિન્ક: https://lokpal.gov.in/pdfs/legal_correspondent.pdf)
AP/GP/JD
(रिलीज़ आईडी: 2068231)
आगंतुक पटल : 132