પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગ્રેનાડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
21 NOV 2024 10:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કેરીકોમનું અધ્યક્ષપદ સંભાળવા બદલ તથા દ્વિતીય ભારત-કેરીકોમ સમિટમાં ચર્ચાને અસરકારક રીતે ચલાવવા બદલ પ્રધાનમંત્રી મિશેલને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠક દરમિયાન ICT, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને જળવાયુ પરિવર્તનની સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રોમાં વિકાસ સહકાર પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મિશેલે મહામારી દરમિયાન રસીના સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ગ્લોબલ સાઉથના ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2075910)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam