પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
21 NOV 2024 9:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં ઐતિહાસિક પ્રોમેનેડ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે બાપુના શાંતિ અને અહિંસાના શાશ્વત મૂલ્યોને યાદ કર્યા જે માનવતાને સતત માર્ગદર્શન આપે છે. 1969માં ગાંધીજીની 100મી જન્મજયંતિની યાદમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ નજીકમાં જ આવેલા આર્ય સમાજ સ્મારક પર પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુયાનામાં આર્ય સમાજ ચળવળના 100 વર્ષની સ્મૃતિમાં 2011માં આ સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2075925)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam