પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો
Posted On:
23 NOV 2024 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે.
તેમણે X પર એક સંદેશ પોસ્ટ કર્યો:
“આપણા પ્રવાસી સમુદાયની સાથેના જોડાણને મજબૂત બનાવવા!
વિદેશમાં રહેતા ભારતીય સમુદાય અને અન્ય દેશોના મિત્રોને #BharatKoJaniye ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કરો!
bkjquiz.com
આ ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસીઓ વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવે છે. તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે.
વિજેતાઓને #IncredibleIndia ના અજાયબીઓનો અનુભવ કરવાની તક મળશે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2076225)
Visitor Counter : 101
Read this release in:
Odia
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam