આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
NSO દ્વારા રાજકોટ ખાતે 27 નવેમ્બરે એએસઆઈ અંગે કાર્યશિબિર યોજાશે
प्रविष्टि तिथि:
24 NOV 2024 8:24PM by PIB Ahmedabad
ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતની ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ દર વર્ષે આંકડાશાસ્ત્ર સંગ્રહણ (COS) કાયદો, 2008 અને તેના હેઠળ 2011માં બનાવેલા નિયમો હેઠળ કરવામાં આવે છે.
આ કાર્યશાળા ઔદ્યોગિક એકમો/ઉધમી ASI 2023-2024 અનુક્રમણિકા માટેના સ્વ-પ્રશાસન પ્રક્રિયા સમજાવવાનો ઉદ્દેશ રાખી કાર્ય કરવામાં આવી રહ્યો છે. તે ઉત્પાદન ક્ષેત્રની ફેક્ટરીઓના પ્રતિનિધિઓ જેમણે નાણાકીય વર્ષ 2023-2024 માટે રિટર્ન ભરવા માટે પસંદગી પામેલ છે, આ કાર્યશાળામાં ભાગ લઈ ASI રિટર્ન 2023-2024 સમયસર ભરવા માટે માર્ગદર્શન મેળવી શકે છે. આ સર્વેક્ષણ દ્વારા એકત્રિત માહિતીનો ઉપયોગ આંકડાશાસ્ત્રલક્ષી હેતુઓ માટે, ઔદ્યોગિક ક્ષેત્રના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં યોગદાનનો અંદાજ લાવવાનો અને સરકારને ઔદ્યોગિક વિકાસ માટે નીતિઓ તૈયાર કરવામાં મદદ કરવા માટે થાય છે.
ડૉ. નીયતી જોશી, ઉપ મહાનિર્દેશક, પ્રદેશ કચેરી, અમદાવાદ, NSO, MOSPI, શ્રી એસ.એન. પટેલ, જિલ્લા આંકડા અધિકારી , શ્રી એન.આર.ટોપરાણી, સંયુક્ત નિર્દેશક, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગ, શ્રી એન.આર.ચૌધરી, ઉપ નિર્દેશક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક, શ્રી જે.જી.ફલદુ, ઔદ્યોગિક અધિકારી, જિલ્લાની ઔદ્યોગિક કેન્દ્ર અને શ્રી એ.એસ.ચૌહાન, સહાયક નિર્દેશક, NSO રાજકોટ આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યશાળા 27 નવેમ્બર 2024ના રોજ રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી, રાજકોટના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2076675)
आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English