પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
06 DEC 2024 9:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાપરિનિર્વાણ દિવસ પર, આપણે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ.
સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. આજે, જેમ જેમ આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ, તેમ અમે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કરીએ છીએ.
આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્ય ભૂમિની મારી મુલાકાતની એક તસવીર પણ શેર કરું છું.
જય ભીમ!"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2081386)
आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam