પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
17 DEC 2024 5:19PM by PIB Ahmedabad
ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ @EmmanuelMacronના નેતૃત્વ હેઠળ, ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે દૂર કરશે. ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2085358)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam