પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

प्रविष्टि तिथि: 06 JAN 2025 8:55PM by PIB Ahmedabad

માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

શ્રી મોદીએ ભારતમાં માઇક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ મીટિંગમાં ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.

મીટિંગ વિશે સત્ય નડેલાની એક્સ પરની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું;

તમને મળીને ખરેખર આનંદ થયો, @satyanadella! ભારતમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ વિશે જાણીને આનંદ થયો. આપણી મીટિંગમાં ટેક, ઇનોવેશન અને AIના વિવિધ પાસાઓની ચર્ચા કરવી પણ અદ્ભુત હતી.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2090768) आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam