રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ કાલે પ્રયાગરાજની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
09 FEB 2025 4:26PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (10 ફેબ્રુઆરી, 2025) પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)ની મુલાકાત લેશે.
પ્રયાગરાજની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે, અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેમજ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2101151)
आगंतुक पटल : 145