પર્યાવરણ અને વન મંત્રાલય
હરિત સંગમ: અમદાવાદ પર્યાવરણીય જાગૃતિ અને સાતત્યપૂર્ણતા માટે એકતા
Posted On:
24 FEB 2025 7:54PM by PIB Ahmedabad
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) એ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ ઘટના, હરિત સંગમનું આયોજન કર્યું હતું. જે “AmdaVadmA” પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણીય સંરક્ષણ ગતિવિધિ માટે સહયોગ કરે છે. આ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પર્યાવરણીય કાર્યકરો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત 550થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે સર્વે એક ટકાઉ હેતુ માટે એકઠા થયા હતા.

CEE ના ડિરેક્ટર અને સ્થાપક શ્રી કાર્તિકેય સારાભાઈ મુખ્ય અતિથિ તરીકે, શ્રી ઉદયભાઈ કરાણી (સંચાલક, મેમનગર) અને શ્રી અર્ચિત ભટ્ટ (શિક્ષણવિદ, ત્રિપદા સ્કૂલ) આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સંબોધન શ્રી કાર્તિકેય સારાભાઈ, શ્રી વિવેક ત્રિવેદી (જનસંપર્ક અધિકારી, મુખ્યમંત્રી કાર્યાલય), અને શ્રી ખમીરભાઈ જોશી (પર્યાવરણ સંરક્ષણ કાર્યકર્તા, પ્રાદેશિક ટીમ સભ્ય, જામનગર) દ્વારા કરવામાં આવ્યું હતું.

હરિત સંગમનું મુખ્ય આકર્ષણ 45 થી વધુ NGO ની ભાગીદારી હતી. જેમાં દરેકે આધુનિક પર્યાવરણીય પડકારો અને ઉકેલોને સંબોધવા માટે નવીન, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં યુવાનોની ભાગીદારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોની શાળાઓએ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ્સમાં ઉર્જા સંરક્ષણ, પ્લાસ્ટિક ઈંટ બાંધકામ, કાગળ રિસાયક્લિંગ અને પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ પર પ્રકાશ પાડ્યો હતો.
હરિત સંગમ દ્વારા વિવિધ સમુદાયો, પર્યાવરણીય ઉદ્યોગસાહસિકો અને યુવા મનને સફળતાપૂર્વક એકસાથે લાવવામાં આવ્યા હતા. જે ટકાઉ ભવિષ્યને આકાર આપવા માટે સામૂહિક પ્રયાસોના મહત્વને મજબૂત બનાવે છે. જન જાગૃતિનાં પ્રસાર સાથે પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપીને, આ કાર્યક્રમ ટકાઉ અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું.
(Release ID: 2105897)