પ્રવાસન મંત્રાલય
azadi ka amrit mahotsav

પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનું દીવની મુલાકાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


પ્રવાસન મંત્રીએ તાજ હોટેલ ગ્રુપને ચાવીઓ સોંપીને એનેક્સી સર્કિટ હાઉસ અને ફોર્ટ સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 31 MAR 2025 8:48PM by PIB Ahmedabad

ભારત સરકારના  પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ સાથે આજ રોજ તેમની એક દિવસીય મુલાકાતે દીવ પહોંચ્યા. આ પ્રસંગે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક શ્રીના નેતૃત્વમાં દીવ એરપોર્ટ પર હાજર રહી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

સવારે લગભગ 11:30 વાગ્યે, પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત નવા બનેલા એનેક્સી સર્કિટ હાઉસ, જલંધર પહોંચ્યા, જ્યાં બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક લોકનૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. બાળાઓ દ્વારા રજૂ કરાયેલ સુંદર સાંસ્કૃતિક લોકનૃત્યથી મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. ત્યારબાદ, પ્રવાસન મંત્રીએ રિબન કાપીને અને તાજ હોટેલ ગ્રુપને ચાવીઓ સોંપીને નવનિર્મિત એનેક્સ સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીશ્રીએ એનેક્સી સર્કિટ હાઉસની મુલાકાત લીધી અને તેની પ્રશંસા કરી હતી. સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં, મંત્રી અને પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલને દીવના પ્રોમેનેડ ડેવલપમેન્ટ અને દીવમાં ભાવિ પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓ સંબંધિત સેન્ટ થોમસ ચર્ચના વૈચારિક દૃષ્ટિકોણ અંગેનો વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ પછી, પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે જલંધર સર્કિટ હાઉસની મુલાકાત લીધી અને પછી ફોર્ટ સર્કિટ હાઉસની મુલાકાત લીધી. મંત્રીશ્રી ફોર્ટ સર્કિટ હાઉસની સુંદરતા અને ભવ્યતાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની પ્રશંસા કરી.

બપોરે, પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજીએ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ સાથે દીવ કિલ્લાની મુલાકાત લીધી અને તેના ઐતિહાસિક મહત્વ અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા તેના અસરકારક સંચાલનની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દીવનો આ કિલ્લો અને સમગ્ર દીવમાં પ્રવાસન માટે અપાર સંભાવનાઓ છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ, દીવ પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સ્પર્શશે.  ત્યારબાદ, પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે INS ખુકરી સ્મારકની મુલાકાત લીધી જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ભારતીય નૌકાદળના અધિકારીઓએ મંત્રીશ્રી સાથે ખુકરી સ્મારકના મહત્વ અંગે જાણકારી આપી હતી. બાદમાં, પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે એઝેકુશન હબની મુલાકાત લીધી હતી જ્યાં દીવ કોલેજ અને IIITના વિદ્યાર્થીઓએ તેમને એઝેકુશન હબનો પ્રવાસ કરાવ્યો હતો અને શિક્ષણ સંબંધિત નવીન પ્રયોગોનું પ્રદર્શન પણ બતાવ્યું હતું.

AP/IJ/GP/JD


(Release ID: 2117071)