પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
12 APR 2025 2:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના અવસાનથી દુઃખ થયું. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
નોંધનીય છે કે તેઓએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને મૃત્યુ પછી, તેઓની ઈચ્છા અનુસાર ભાવિ પેઢીઓના શિક્ષણ માટે દેહદાન કરવામાં આવ્યું.
ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના….
ૐ શાંતિ...!!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2121192)
आगंतुक पटल : 741
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Odia
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam