સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

18 એપ્રિલ 2025ના રોજ IGNCA ખાતે પ્રધાનમંત્રીના સંસ્કૃતિ પરના ભાષણોના સંકલન - 'સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય' (સંસ્કૃતિનો પાંચમો અધ્યાય)નું લોકાર્પણ

Posted On: 16 APR 2025 5:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણોનું સંકલન, 'સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય', હવે એક પુસ્તકના રૂપમાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે. પુસ્તકનો ઔપચારિક વિમોચન સમારોહ શુક્રવાર, 18 એપ્રિલ, 2025ના રોજ સાંજે 5.00 વાગ્યે નવી દિલ્હીના જનપથ ખાતે સ્થિત સવેત ઓડિટોરિયમ, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) ખાતે યોજાશે.

આ પુસ્તકનું ઔપચારિક વિમોચન આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ, જુના અખાડાના વડા દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ કરશે. IGNCAના અધ્યક્ષ શ્રી રામ બહાદુર રાય, અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.

સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે, જેમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે. પુસ્તકની પ્રસ્તાવના શ્રી રામ બહાદુર રાય દ્વારા લખવામાં આવી છે અને સંકલન ડૉ. પ્રભાત ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રભાત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2122228)