પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યમુનાની સફાઈ અને કાયાકલ્પ અંગે બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 17 APR 2025 10:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં યમુના નદીની સફાઈ અને કાયાકલ્પ તેમજ પીવાના પાણીની સમસ્યાઓના ઉકેલ માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર દિલ્હી સરકાર સાથે મળીને કામ કરશે જેથી દિલ્હીના લોકો માટે વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને "જીવનની સરળતા" સુનિશ્ચિત કરી શકાય.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

"ગઈકાલે દિલ્હીમાં યમુનાની સફાઈ અને કાયાકલ્પ તેમજ પીવાના પાણીની સમસ્યાઓના નિરાકરણ અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી. દિલ્હીના મારા બહેનો અને ભાઈઓ માટે વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને 'જીવનની સરળતા' સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર દિલ્હી સરકાર સાથે મળીને કામ કરશે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2122611)