પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશ્વ લીવર દિવસ પર નાગરિકોને સંયમિત આહાર અપનાવવા અને સ્થૂળતા સામે લડવાનો આગ્રહ કર્યો

प्रविष्टि तिथि: 19 APR 2025 1:13PM by PIB Ahmedabad

વિશ્વ લીવર દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને યોગ્ય આહાર અપનાવવા અને સ્વસ્થ જીવનને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો. નાના છતાં અસરકારક ફેરફારોના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે તેલનું સેવન ઘટાડવા જેવા પગલાં એકંદર આરોગ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાના એક્સના પર કરવામાં આવેલી એક પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

"#WorldLiverDayની ઉજવણી માટે યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી માટે અપીલ કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. તેલનું સેવન ઘટાડવા જેવા નાના પગલાં મોટો ફરક લાવી શકે છે. ચાલો આપણે બધા સાથે મળીને સ્થૂળતા વિશે જાગૃતિ લાવીને સ્વસ્થ અને ફિટ ભારતનું નિર્માણ કરીએ. #StopObesity."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2122867) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam