પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે


પીએમ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે

Posted On: 19 APR 2025 1:16PM by PIB Ahmedabad

17મા સિવિલ સર્વિસીસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કરશે.

પ્રધાનમંત્રીએ હંમેશા ભારતભરના સિવિલ સર્વન્ટ્સને નાગરિકોના હેતુ માટે પોતાને સમર્પિત કરવા, જાહેર સેવા માટે પ્રતિબદ્ધ રહેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ વર્ષે, જિલ્લાઓના સર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ અને સિવિલ સર્વન્ટ્સને નવીનતા જેવી શ્રેણીઓમાં 16 એવોર્ડ આપવામાં આવશે. આ દ્વારા તેમને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2122868)