પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી પેટ્રોકેમિકલ અને લ્યુબ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ દ્વારા મુખ્ય પેટકેમ હબ બનવા માટે સજ્જ


રિફાઈનરીએ 300 વ્યક્તિઓ માટે સીધી રોજગારી અને 10,000થી વધુ વ્યક્તિઓ માટે પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપતો ₹5,894 કરોડનો એક્રેલિક/ઓક્સો- આલ્કોહોલ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, જે આયાત નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરશે

Posted On: 23 APR 2025 4:24PM by PIB Ahmedabad

વડોદરા સ્થિત ગુજરાત રિફાઇનરીના દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિફાઇનરી દ્વારા મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસની જાણકારી આપવામાં આવી હતી. પરિષદની શરૂઆત કર્તા પહેલા ગઈકાલે પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકો માટે બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

પરિષદમાં જાણકારી આપતા રિફાઇનરીના ગુજરાત અધ્યક્ષ અને ઇડી બીપ્લોય બીશ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ ભારતની ટોચની ઉર્જા PSU છે, જે 2024 ફોર્ચ્યુન 500 યાદીમાં 116મા ક્રમે છે. 23 ભારતીય રિફાઇનરીઓમાંથી 11નું સંચાલન કરતી, ઇન્ડિયન ઓઇલ દેશમાં સૌથી મોટી રિફાઇનિંગ ક્ષમતા શેર (32%) ધરાવે છે. 31000+ કર્મચારીઓ અને 61000થી વધુ ટચપોઇન્ટ્સ સાથે, તેનું લક્ષ્ય 2046 સુધીમાં નેટ ઝીરો કંપની અને 2047 સુધીમાં એક ટ્રિલિયન ડોલર જાયન્ટ બનવાનું છે.


ગુજરાત હેડ અને ઇડી બીપ્લોય બીશ્વાસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ, ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રમાં નવીનતા અને વૈવિધ્યકરણનું નેતૃત્વ કરી રહી છે, ભારત માટે એક મુખ્ય પેટ્રોકેમિકલ હબ બનવા માટે વ્યૂહાત્મક રોકાણો અને ટેકનોલોજીમાં વધારો કરી રહી છે. 2021માં, રિફાઇનરીએ ગુજરાત સરકાર સાથે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં ₹24,000 કરોડના રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. આમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઇન્ટિગ્રેશન (લુપેચ) પ્રોજેક્ટ અને એક્રેલિક્સ/ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જે કમિશનિંગ પર પેટ્રોકેમિકલ અને વિશેષ ઉત્પાદનોમાં ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે.

ગુજરાત રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઈન્ટિગ્રેશન પ્રોજેક્ટ રિફાઈનરીની નેમપ્લેટ ક્ષમતા વર્તમાન 13.7 ΜΜΤΡΑ થી વધારીને 18 ΜΜΤΡΑ કરશે. જે ભારતની આયાત નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરશે. ભારત માટે મુખ્ય પેટ્રોકેમિકલ હબ બનવા માટે વ્યૂહાત્મક રોકાણો અને ટેક્નોલોજીમાં વધારો કરી રહી છે. જે આયાત પર નિર્ભરતા ઘટાડે છે અને ફાર્માસ્યુટિકલ્સ કોટિંગ્સ, કાપડ અને એડહેસિવ્સ જેવા ઉદ્યોગો માટે વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરે છે. આગામી દિવસોમાં દિલ્હી બાદ હવે વડોદરામાં હાઈડ્રોજન બસની સુવિધા શરૂ કરવામાં આવશે જેનું હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે .

ભારતમાં પ્રથમ વખત AVGAS 100 LL, STORM અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ અને સલ્ફર બેન્ટોનાઇટનું ઉત્પાદન ભારતને ચોખ્ખા આયાતકારથી વિશિષ્ટ ઇંધણ ઉત્પાદનોના નિકાસકાર તરફ લઈ જઈ રહ્યું છે.

આઈઓસીએલ ગુજરાત રિફાઈનરી ખાતે યોજાયેલ આ પત્રકાર પરિષદમાં એચઆરના સીજીએમ ડો. પ્રશાંત રાઉત કોર્પોરેટ કોમ્યુનિકેશન ડેપ્યુટી જીએમ ડૉ. સિની મેથ્યુ ફિલિપ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં રિફાઇનરી દ્વારા તેમને મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસ અને સીએસઆર ગતિવિધિનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું.

AP/IJ/GP/JD


(Release ID: 2123816)