કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જમ્મુ વિભાગના વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી


નાગરિક સંરક્ષણ તૈયારીઓ, પરિવહન વ્યવસ્થા, બંકરોની જાળવણી, સ્થળાંતર શિબિરોની કામગીરી અને તબીબી સંભાળને મજબૂત બનાવવા જેવા મુખ્ય પાસાઓની સ્થિતિની ચર્ચા કરવામાં આવી

Posted On: 08 MAY 2025 5:08PM by PIB Ahmedabad

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરની સ્થિતિની પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જમ્મુ વિભાગના મુખ્ય નાગરિક વહીવટી અધિકારીઓ સાથે જમીન પર તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે વ્યાપક સમીક્ષા કરી હતી. ખાસ કરીને નાગરિક સંરક્ષણ, કટોકટી સેવાઓ અને જાહેર ખાતરીના પગલાં અંગે સમીક્ષા બેઠકમાં અન્ય લોકો ઉપરાંત, જમ્મુના વિભાગીય કમિશનર રમેશ કુમાર, રાજૌરીના ડેપ્યુટી કમિશનર અભિષેક શર્મા, કઠુઆના ડેપ્યુટી કમિશનર રાકેશ મિન્હાસ, પૂંચના ડેપ્યુટી કમિશનર વિકાસ કુંડલ અને સાંબાના ડેપ્યુટી કમિશનર રાજેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dr81AK10.jpg

દરેક અધિકારીએ વારાફરતી વાત કરી અને નાગરિક સંરક્ષણ તૈયારીઓ, પરિવહન વ્યવસ્થા, બંકરોની જાળવણી, સ્થળાંતર શિબિરોની કામગીરી અને તબીબી સંભાળને મજબૂત બનાવવા જેવા મુખ્ય પાસાઓ પર વિગતવાર, આગામી સૂચનો જણાવ્યા હતા.
વિગતવાર સમીક્ષામાં, ડૉ. જિતેન્દ્ર સિંહે તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને વહીવટી તૈયારીઓ અને જાહેર વિશ્વાસ બનાવવા માટે લેવામાં આવેલા પગલાંનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જિલ્લા ટીમોની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ પ્રશંસા કરી હતી. અધિકારીઓએ નાગરિક સંરક્ષણ તૈયારીઓ, પરિવહન વ્યવસ્થા, બંકરોની જાળવણી, રાહત શિબિરોની સ્થાપના અને તબીબી સંભાળમાં વધારા અંગે વ્યાપક અપડેટ્સ પ્રદાન કર્યા હતા. સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ખોટી માહિતી અને ખોટા સમાચારોના ફેલાવાને રોકવા માટે સ્પષ્ટ સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

ડૉ. જીતેન્દ્ર સિંહે સંબંધિત જિલ્લા ટીમો દ્વારા લેવામાં આવેલા ત્વરિત અને અસરકારક પગલાંની પ્રશંસા કરી, અને ઉભરતી પરિસ્થિતિને કાર્યક્ષમતા અને સંવેદનશીલતા સાથે સંચાલિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "બધા અધિકારીઓએ ઇનપુટ્સ અને અપડેટ્સ શેર કરવામાં તત્પરતા દાખવી હતી. હું દરેક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બતાવેલ ત્વરિત કાર્યવાહી અને સંકલનની પ્રશંસા કરું છું."
ચર્ચાનો મુખ્ય મુદ્દો ખોટી માહિતીના ફેલાવાને રોકવાની જરૂરિયાત હતી. જાહેર વિશ્વાસ અને શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચાર અને અફવાઓ પર દેખરેખ રાખવા અને કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ નિર્દેશો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dr82FL1Y.jpg


ડૉ. જિતેન્દ્ર સિંહે પુનઃપુષ્ટિ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ અને સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં "સંપૂર્ણ સરકાર" અને "સંપૂર્ણ રાષ્ટ્ર" અભિગમનો સમાવેશ થાય છે. તેમણે જિલ્લા અધિકારીઓને તેમના કાર્યાલય સાથે નિયમિત સંપર્કમાં રહેવા અને નાગરિકો સાથે સક્રિય જોડાણ જાળવવા પ્રોત્સાહિત કર્યા હતા. જેથી જમીન પર વિશ્વાસ મજબૂત થાય.
કઠુઆ અને સાંબા જેવા આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ગામોની સંવેદનશીલતા પર પ્રકાશ પાડતા, મંત્રીએ નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. "સાથે મળીને, અમે ખાતરી કરી રહ્યા છીએ કે વહીવટ કોઈપણ પડકારનો સામનો કરવામાં આગળ રહે," મંત્રીશ્રીએ આમ કહીને સતત સંકલન અને તકેદારી રાખવાની હાકલ સાથે બેઠકનું સમાપન કર્યું હતું.


(Release ID: 2127787)
Read this release in: English