સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન

Posted On: 10 MAY 2025 3:05PM by PIB Ahmedabad

અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. 12 મે, 2025ના રોજ સવારે 10 કલાકથી 13 કલાક દરમિયાન યોજાશે.

ભારતીય પોસ્ટ, ફિલાટેલી દ્વારા બૌદ્ધ વારસાના ઊંડા મૂળને પ્રકાશિત કરવા વર્ષોથી નોંધપાત્ર બૌદ્ધ થીમ સાથે બહાર પાડેલી અનેક પોસ્ટેજ સ્ટેમ્પમાં બુદ્ધ, ગયા, સાંચી, સારનાથ અને બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઘણા પ્રાચીન ઈસ અને સ્તૂપોના નિરૂપણનો સમાવેશ થાય છે. જેના ભાગરૂપે અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું તા. 12 મે, 2025ના રોજ સોમવારે સવારે 10 વાગ્યાથી 13 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2128057)