પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

છત્તીસગઢના રાયપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી સહાયની જાહેરાત કરી

Posted On: 12 MAY 2025 5:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાયપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘાયલ થયેલા લોકો માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"છત્તીસગઢના રાયપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"

AP/IJ/GP/JD


(Release ID: 2128242) Visitor Counter : 2