રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ ભવનમાં સાહિત્ય સંમેલનનું આયોજન: 'સાહિત્યમાં કેટલું પરિવર્તન આવ્યું છે?'
Posted On:
28 MAY 2025 1:20PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ ભવન 29 અને 30 મે, 2025ના રોજ સાહિત્ય અકાદમી, સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે સાહિત્ય સંમેલન: સાહિત્ય કિતના બદલ ગયા હૈ? નું આયોજન કરશે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 29 મે, 2025ના રોજ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને દેશભરના સાહિત્યકારોની હાજરીમાં આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
બે દિવસીય આ સંમેલનમાં વિવિધ વિષયો – સીધે દિલ સે; ભારત કા નારીવાદી સાહિત્ય: નઇ રાહેં બનાના; સાહિત્ય મેં બદલાવ બનામ બદલાવ કા સાહિત્ય; અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મેં ભારતીય સાહિત્ય કી નઇ દિશાએ જેવા વિવિધ સત્રો યોજાશે. આ સંમેલન દેવી અહલ્યાબાઈ હોલ્કરની ગાથા સાથે સમાપ્ત થશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2131960)