સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી રાજેશ કુમાર અગ્રવાલે 2 જૂન, 2025ના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના જયપુર પ્રાદેશિક કાર્યાલયમાં સલાહકાર (કાર્યાલયના વડા) તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
02 JUN 2025 5:13PM by PIB Ahmedabad
જયપુર ખાતે TRAIનું પ્રાદેશિક કાર્યાલય ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રોમાં નિયમનકારી જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ કાર્યાલય ત્રણ લાઇસન્સ સેવા ક્ષેત્રો (LSA) - રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને આવરી લે છે. કાર્યાલયની મુખ્ય જવાબદારીઓમાં ગ્રાહક સુરક્ષા કાર્ય અને ટેલિકોમ અને પ્રસારણ સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

શ્રી રાજેશ કુમાર અગ્રવાલ 1993 બેચના ભારતીય ટેલિકોમ સેવા (ITS) અધિકારી છે. શ્રી અગ્રવાલને ટેલિકોમ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જયપુર મેટ્રોમાં ડિરેક્ટર અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), જયપુર ક્ષેત્રના પ્રિન્સિપાલ જનરલ મેનેજર (ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ) તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમનો અનુભવ અને નેતૃત્વ પ્રાદેશિક કાર્યાલયની ગ્રાહક-કેન્દ્રિત નિયમનકારી પહેલોને વધુ મજબૂત બનાવશે.
શ્રી અગ્રવાલના કાર્યભાર સંભાળવાના પ્રસંગે, શ્રી જે.પી. ગર્ગ (સંયુક્ત સલાહકાર), શ્રી રાકેશ પુરોહિત (નાયબ સલાહકાર) અને પ્રાદેશિક કાર્યાલય, જયપુરના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
(Release ID: 2133304)